મુંબઈની એક ટોપની પ્લેસમેન્ટ એજન્સીના કન્સલ્ટન્ટને એક જ પ્રકારના લોકોના મોટા પ્રમાણમાં ફોન આવી રહ્યા છે. જોબ ચેન્જ કરતા આ લોકો બીજા કોઈ નહીં, પણ સરકારી બેંકોમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓ છે. જેઓ પોતાની નોકરીમાંથી છૂટવા માગે છે. સરકારી નોકરી છોડી તેઓ પ્રાઈવેટ બેંક કે પછી ચાન્સ મળે તો બીજા ફિલ્ડમાં જવા પણ તૈયાર છે. આ કન્સલ્ટન્ટનું કહેવું છે કે, સરકારી નોકરી છોડવા ઈચ્છતા આ લોકો ખૂબ બ્રાઈટ અને કમિટેડ છે, પરંતુ સરકારી નોકરીથી તેઓ ખુશ નથી. સિક્યોરિટી અને સ્ટેબિલિટી આપતી સરકારી નોકરીમાં વર્ષો કાઢ્યા પછી આ અધિકારીઓ ખૂબ સ્ટ્રેસમાં છે, અને હતાશ થઈ ગયા છે. તેમના પર લોન્સ રિકવર કરવાનું તેમજ અન્ય ખૂબ વધી ગયું છે, પણ ગમે તેટલું કામ કરવા છતાં તેમને એપ્રિસિએશન નથી મળતું. તેમાંય પંજાબ નેશનલ બેંકનું 12,900 કરોડ રુપિયાનું કૌભાંડ બહાર આવ્યું, ત્યારથી બેંકમાં કામ કરતા અધિકારીઓ ખૂબ જ હતાશ થઈ ગયા છે અને તક મળે તો સરકારી નોકરી છોડવા પણ તેઓ તૈયાર છે. બેંકોના કૌભાંડો બાદ અધિકારીઓને લાગી રહ્યું છે કે પોતાનો કોઈ વાંક ન હોવા છતાં તેમની છબી ખરડાઈ રહી છે, અને લોકોને તેમના પર ભરોસો નથી રહ્યો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારના જણાવ્યા અનુસાર, બેકના 99 ટકા કર્મચારીઓ આવા કોઈ કેસમાં સંકળાયેલા નથી હોતા. નોટબંધી વખતે પણ બેંકના કર્મચારીઓએ જે કામ કર્યું હતું તેની સરાહના કોઈએ ન કરી. તે વખતે કેટલાય કર્મચારી 16-16 કલાક કામ કરતા હતા. પરંતુ કોઈક બ્રાંચમાં કશુંક ખોટું થાય તો મીડિયા બસ તેને જ બતાવ્યા કરે છે.
કુમારે ઈટી સાથે વાત કરતા કહ્યું હતું કે, હું માનું છું કે બેંકોની જે ગેરરીતિઓ બહાર આવી રહી છે તેવું ન થવું જોઈએ, પરંતુ આ મામલે મીડિયા તેમજ એક્સપર્ટ્સ એવું ચિત્ર ખડું કરી રહ્યા છે કે જાણે તમામ બેંકકર્મીઓ ભ્રષ્ટ છે.
ઈટીએ આ અંગે કેટલાક બેંકકર્મીઓ સાથે પણ વાત કરી. તેમણે જણાવ્યું હતું કે સરકારી બેંકોમાં પણ નોકરીઓ સલામત નથી. પહેલાના સમયમાં લોકો શાંતિની નોકરી માટે બેંકોમાં નોકરી લેતા. તે વખતે ન તો બેંકો સામે કોઈ હરિફાઈ હતી કે ન તો કોઈ અનિશ્ચિતતા. પરંતુ આજના સમયમાં સરકારી બેંકોમાં પણ નોકરી પર્ફોન્સના આધારે જ ટકે છે.
એક સરકારી બેંકના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બેડ લોન રિકવર કરવાનો તેમજ ક્રોસ-સેલિંગ ટાર્ગેટ્સને પૂરા કરવાના ખૂબ પ્રેશર હોય છે. જેના કારણે ઘણા સીનિયર મેનેજરો અપસેટ રહેતા હોય છે. જો કોઈ લોન રિકવર ન થાય તો હેડક્વાટર નહીં, પણ તે લોન આપનારી બ્રાંચ તેમાં ફસાય છે. બેંકની નોકરી હવે ખૂબ જ સ્ટ્રેસવાળી થઈ ગઈ છે.
નોકરીના પ્રેશર ઉપરાંત, તપાસ એજન્સીઓ બેંકોના નિર્ણયો પર જે સવાલ ઉઠાવે છે તેનાથી પણ બેંકના અધિકારીઓ હતોત્સાહ થઈ રહ્યા છે. એક બેંકરના જણાવ્યા અનુસાર, બેંકોની નોકરી હવે માત્ર આઠ કલાકની નોકરી નથી રહી. ઘણીવાર બેંકમાં રાત્રે નવ વાગ્યા સુધી પણ બેસી રહેવું પડે છે. તેની અમને કોઈ ફરિયાદ નથી, પણ સીનિયર મેનેજમેન્ટ અમને ગમે તે સવાલ પૂછે છે જે વધુ આઘાતજનક છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.