ગાંધીનગર – ગુજરાતમાં લોકડાઉન 4.0માં સરકારે છૂટછાટ આપતાં રાજ્યમાં ત્રણ લાખ ઉદ્યોગો શરૂ થયાં છે અને 25 લાખ લોકોને રોજગારી મળી છે તેવો દાવો રાજ્ય સરકારે કર્યો છે. કોરોના સંક્રમણ સાથે જીવતા શિખવાનો ધ્યેય સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરીને ઉદ્યોગોને શરૂ કરવાનો આદેશ કરતાં ગુજરાતમાં વેપાર-ઉદ્યોગને વેગ મળ્યો છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે સામાન્ય સંજોગોની એવરેજ વીજ ખપતના 82 ટકા એટલે કે 7500 મેગાવોટ વીજળીનું કન્ઝપ્શન શરૂ થયું છે. રાજ્યના આઠ મહાનગરો અને 24 પાલિકાઓમાં 834 સરકારી બાંધકામના પ્રોજેક્સ્ળ પૈકી 26000 લોકોને રોજી મળી છે, જ્યારે ખાનગી 264 પ્રોજેક્ટ્સમાં 21727 શ્રમિકોને કામ મળ્યું છે. લોકડાઉન 4.0 ના ચાર દિવસમાં જનજીવન થાળે પડી રહ્યું હોવાનો દાવો તેમણે કર્યો છે.
રાજ્યમાં 20મી એપ્રિલથી નગરપાલિકા, મહાપાલિકા હદ વિસ્તાર સિવાયના ગ્રામીણ વિસ્તારોમાં ઊદ્યોગો પૂન: કાર્યરત કરવાની છૂટ અપાઇ હતી. 25મી એપ્રિલથી એવા ઊદ્યોગો- એકમો જેમની પાસે એકસપોર્ટ ઓર્ડર હાથ પર હોય અને લોકડાઉનમાં કામગીરી અટકી હોય તેવા કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોના ઊદ્યોગોને શરૂ કરવા મુખ્યમંત્રીશ્રીએ છૂટ આપવામાં આવી હતી.
એટલું જ નહિ, ત્રીજી મે થી રાજ્યની જૂનાગઢ, જામનગર મહાપાલિકા, સહિત 156 નગરપાલિકા વિસ્તારોમાં પણ નિયમોના પાલન સાથે ઊદ્યોગો શરૂ કરવા દેવાની અનૂમતિ મુખ્યમંત્રીએ આપી હતી અને તે પછી 14મી મેના દિવસથી રાજકોટ મહાનગરમાં કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં ઊદ્યોગોને છૂટ આપવામાં આવી છે. છેલ્લે 19મી મે થી કેટલીક શરતોને આધિન ઉદ્યોગ અને વ્યાપાર શરૂ કરવાની મોટાપાયે છૂટ આપવામાં આવી છે.
અશ્વિનીકુમારે કહ્યું હતું કે રાજ્યભરમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય બાંધકામ પ્રોજેકટસ પણ પૂન: ધબકતા થયા છે અને શ્રમિકોને મોટાપાયે રોજગારી મળતી થઇ છે. મોટાભાગના પ્રોજેક્ટ્સમાં શ્રમિકોને બાંધકામ સાઇટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Savan Patel
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.