રમત મંત્રી કિરણ રીજીજૂઍ મંગળવારે ઍવું કહ્યું હતું કે ભારતીય ઓલિમ્પિક્સ ઍસોસિઍશન (આઇઓઍ) ૨૦૨૨મા રમાનારી બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાંથી હટી જવાનો ઍકતરફી નિર્ણય ન કરી શકે, તેણે આ માટે સરકાર સાથે સલાહ મસલત કરવી પડશે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને બર્મિંઘમ ગેમ્સમાંથી શૂટિંગ સ્પર્ધાને બહાર રાખવાનો નિર્ણય કર્યા પછી આઇઓઍ દ્વારા તેના બહિષ્કારની વાત કરી હતી.
રીજીજૂઍ કહ્યું હતું કે મારું મંત્રાલય કોઇ પણ નિર્ણય લેતા પહેલા શૂટીંગ ઍસોસિઍશન અને આઇઓઍ સાથે વિસ્તૃત ચર્ચા કરશે. તેમણે કહ્યું હતું કે મેં શૂટિંગ ઍસોસિઍશન સાથે ચર્ચા નથી કરી તેથી સત્તવાર રીતે હુ તેમની સ્થિતિ અંગે માહિતગાર નથી પણ જા તમારે બહિષ્કાર કરવો હોય તો તમારે સરકારને પણ પુછવું પડશે તમે ઍકતરફી કોઇ નિર્ણય ન કરી શકો. તેમણે કહ્યું હતું કે આ આપણા ખેલાડીઓના ભવિષ્ય અને રાષ્ટ્રીય પ્રતિષ્ઠાનો સવાલ છે. બધુ જ તેમાં સામેલ છે.