ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ બેઠક માટેની મતગણતરી પુરી તી ગઈ છે, જેમાં ભાજપના કુંવરજી બાવળીયાનો શાનદાર વિજય થયો છે. તમામ 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે 19 985 મતથી જસદણની જંગ જીતી ગયા છે.
કુંવરજી બાવળીયાને 90268 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના અવસર નાકીયાને 70,283 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતગણતરી મથક છોડીને ગયા ત્યારે મિડીયા સાથેની વાતચીતમાં તેમણે ગેરરીતીનો આક્ષેપ કર્યો છે અને છેવટ સુધી હાર નહીં સ્વીકારવાની તૈયારી બતાવી છે.