મહામારીનું કેન્દ્ર રહેલ વુહાન (Wuhan) શહેરના એક પ્રમુખ હોસ્પિટલથી સાજા થયેલ કોવીડ-19 ના એક સમૂહના લીધેલા નમૂનામાંથી 90 ટકા દર્દીઓના ફેફસાને (lungs) નુકસાન પહોંચવાની વાત સામે આવી છે જયારે પાંચ ટકા દર્દીને ફરીથી ચેપ લાગવાને કારણે આઇસોલેશન કરાયા છે. વુહાન યુનિવર્સિટીની ઝોંગનન હોસ્પિટલના(zhongnan hospital) સઘન સંભાળ એકમના ડિરેક્ટર પેંગ ઝિઓંગની (Peng Zhiyong) આગેવાની હેઠળની એક ટીમ એપ્રિલ મહિનાથી સ્વસ્થ થઈ ગયેલા 100 દર્દીઓને ફરી મળી તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.
એક વર્ષના આ કાર્યક્રમનો પ્રથમ તબક્કો જુલાઈમાં સમાપ્ત થયો હતો. અભ્યાસમાં શામેલ દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. એક પ્રખ્યાત ચેનલ મુજબ, પ્રથમ તબક્કાના પરિણામો અનુસાર, દર્દીઓના ફેફસાંના 90 ટકા ભાગો હજી પણ નબળી હાલતમાં છે, જેનો અર્થ એ છે કે તેમના ફેફસાંમાંથી હવાના પ્રવાહ અને ગેસ એક્સચેંજનું કાર્ય હજી સુધી સ્વસ્થ લોકોના સ્તરે પહોંચ્યું નથી.
પેંગની ટીમે છ મિનિટ ચાલવા પર દર્દીઓની તપાસ કરી. તેમને જાણવા મળ્યું કે આ રોગમાંથી સાજા થતા લોકો છ મિનિટના ગાળામાં 400 મીટર ચાલે છે, જ્યારે તંદુરસ્ત લોકો આ સમયગાળા દરમિયાન 500 મીટરનું અંતર કાપી શકે છે. બેઇજિંગ યુનિવર્સિટી ઓફ ચાઇનીઝ મેડિસિનના (Beijing University of Chinese Medicine) ડોંગઝેમિન હોસ્પિટલના (Dongzhimen Hospital) ર્ડાક્ટર લિયાંગ ટેંગશિયાઓને ટાંકતા માંહીતી આપવામાં આવી હતી કે કેટલાક દર્દીઓ જેઓ હોસ્પિટલથી સજા થઈને આવ્યા છે તેમને ત્રણ મહિના પછી પણ ઓક્સિજન મશીનની જરૂર પડે છે.
લિઆંગની ટીમ 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓને મળવા અને તેમના વિશેની માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહી છે. પરિણામોમાં એ પણ બહાર આવ્યું છે કે નવા કોરોના વાયરસની સામે બનેલી એન્ટિબોડીઝ પણ 100 દર્દીઓમાંથી 10 ટકામાં હવે ન હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ -19 (covid-19) ન્યુક્લિક એસિડ(nucleic acid) પરીક્ષણમાં તેમાંથી પાંચ ટકા નકારાત્મક પરિણામો મળ્યાં છે, પરંતુ ઇમ્યુનોગ્લોબ્યુલિન એમ (immunoglobulin) પરીક્ષણમાં સામે આવ્યું તેઓ સંક્રમિત હતા જેથી તેમને ફરી આઇસોલેશન થવું પડ્યું.
જ્યારે કોઈ વાયરસ હુમલો કરે છે, ત્યારે પ્રતિકારક મિકેનિઝમ દ્વારા પ્રથમ એન્ટિબોડી આઇજીએમ બને છે. આઇજીએમ પરીક્ષણમાં સકારાત્મક પરિણામ મળવાનો અર્થ હોય છે કે વ્યક્તિ વાયરસથી હજુ સંક્રમિત થયો જ છે. તે હજી સ્પષ્ટ નથી થયું કે આનો અર્થ એ છે કે આ લોકો ફરીથી સંક્રમિત થયા છે.