હજીરાના મોરગામમાં ઓરિસ્સાવાસી આધેડ પહેલાં માળેથી પટકાતા મોતને ભેટ્યા હતા. પહેલાં માળેથી પટકાતા આધેડને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા
હજીરામાં આવેલી અદાણીમાં રીગર મેન તરીકે કામ કરતા કીલું તેજારાવ (ઉ.વ.44) મોરાગામ ખાતે આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા હતા. આખું પરિવાર વતન ઓરિસ્સામાં રહે છે. છેલ્લા એક વર્ષથી અદાણીમાં રીગર મેન તરીકે કામ કરતા હતા. દિવસ પાળી કરી રાત્રે ઘરે આવ્યા બાદ ભોજન કરી પાળી પર બેસતા અચાનક નીચે પટકાયા હતા. જેથી સાથી મિત્ર દોડી આવ્યા હતા. અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ICU ન હોવાથી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.