વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાબલીપુરમના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવ્યુ હતું અને લોકોને સાફ સફાઇ પ્રત્યે જાગરૂત રહેવાનો સંદેશો આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સ્વચ્છતાથી જ અમે લોકોો સ્વચ્છ અને ફિટ રહીશું. વડાપ્રધાન તમિલનાડુના મહાબલીપુરમમાં છે જ્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમની બેઠક છે.
વડાપ્રધાને વીડિયો શેર કરી આપી જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરી ખુદ તેની જાણકારી આપી હતી અને તેની સાથે જોડાયેલો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મોદીએ ટ્વીટમાં લખ્યુ, સવારે મમલ્લાપુરમમાં એક બીચ પર 30 મિનિટ સફાઇ અભિયાન ચલાવ્યુ. બીચ પર ઉઠાવવામાં આવેલા કચરાને હોટલ સ્ટાફ જેયારાજને સોપી દીધો. મોદીએ લખ્યુ કે તમામ લોકોને સુનિશ્ચિત કરવા જોઇએ કે સાર્વજનિક સ્થાન સાફ રહે. આ સાથે જ તે લોકોને ફિટ અને સ્વાસ્થ્ય સારૂ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.