જીવની મુખ્યરૂપે ચાર જરૂરિયાતો છે- આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. તેમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે આહાર. આહારથી નિર્માણ અને વિકાસની પ્રક્રિયા પૂરી થાય છે. તમે ભલે ખાદ્ય પદાર્થો દ્વારા આહાર ન લો પરંતુ ક્યાંકને ક્યાંકથી તમને ઉર્જા લેવી જ પડશે. ઉર્જા વિનાના જીવનની લાંબા સમય સુધી કલ્પના ન કરી શકાય. નવરાત્રીના સમયમાં વ્રત કરનારા લોકો સાત્વિક ભોજનનું જ સેવન કરે છે. આ વખતે નવરાત્રી 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.
આહાર કેવી રીતે આપણા વ્યવહાર પર અસર કરે છે?
શરીરના માનસિક સ્તરનું નિર્માણ વિભિન્ન કોષોથી થાય છે. તેમાંથી એક કોષ અન્નમય કોષ પણ છે. આ કોષની શુદ્ધિ વિના તમે મનની શુદ્ધિ નથી કરી શકતાં. આહારથી આપણા કોષોનું નિર્માણ થાય છે. પછી આ જ કોષોથી આપણા શરીરમાં રસનું ક્ષરણ થાય છે. રસ (હોર્મોન)થી આપણા વિચારોમાં વિકાસ અને પરિવર્તન આવે છે. જે પ્રકારનો આહાર આપણે ગ્રહણ કરીએ છીએ, તે જ પ્રકારનો વ્યવહાર અને વિચાર આપણી અંદર ઉત્પન્ન થાય છે.
કઇ વસ્તુઓને આપણે સાત્વિક આહાર ન કહી શકીએ
- ડુંગળી,લસણ
- સરસવની ભાજી, મશરૂમ
- માંસ, માછલી, માદક પદાર્થ
- ડબ્બા બંધ ખાદ્ય પદાર્થ
- વાસી ભોજન
શું છે સાત્વિક આહાર
- તમામ પ્રકારના અનાજ અને દાળ
- દૂધ અને તેમાંથી બનેલા પદાર્થો
- તમામ પ્રકારના શાકભાજી
- તમામ પ્રકાર ફળ અને સૂકા મેવા
કયા પ્રકારના સ્વભાવ માટે કેવા પ્રકારનો આહાર?
જો તમે ખૂબ જ વધુ ભાવુક હોવ તો ગોળ અને મીઠી વસ્તુ ખાઓ, રોટલી ખાઓ, વાસી ખોરાકથી દૂર રહો. જો તમારે સ્વભાવ ક્રોધી હોય તો લસણ, ડુંગળી અને માંસ-માછલીથી દૂર રહો. જો તમને તણાવ રહેતો હોય તો દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરો. મશરૂમ અને કંદમૂળ ના ખાઓ. જો તમે શરીરથી પરેશાન હોવ તો વધુમાં વધુ શાકભાજી ખાઓ. અનાજ ઓછુ ખાઓ. જો તમે ખરાબ વિચારોથી પરેશાન હોવ તો માંસ-માછલી, લસણ ન ખાઓ. મસૂરની દાળ પણ ન ખાઓ.
નવરાત્રીમાં શા કારણે કરવામાં આવે છે સાત્વિક ભોજન
સાત્વિક શબ્દ ‘સત્વ’ શબ્દમાંથી બનેલો છે. તેનો અર્થ થાય છે શુદ્ધ, પ્રાકૃતિક અને ઉર્જાવાન. સાત્વિક ભોજન શરીરને શુદ્ધ કરી મનને શાંતિ પ્રદાન કરે છે. તેમાં શુદ્ધ શાકાહારી શાકભાજી, ફળો, સીંધવ મીઠુ, કોથમીર, કાળા મરી જેવા મસાલાનો ઉપયોગ થાય છે. નવરાત્રી દરમિયાન લોકો સાત્વિક ભોજન કરે છે. તેની પાછળ ધાર્મિક માન્યતાની સાથે કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે. નવરાત્રીનો તહેવાર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આવશે. ઋતુ બદલાવાથી આપણી ખાણી-પીણીની આપણા શરીર પર માઠી અસર થાય છે. તેવામાં સાત્વિક ભોજન સ્વાસ્થ્ય માટે લાભકારક માનવામાં આવે છે.