Pahalgam Terror Attack: પાકિસ્તાન માટે જાસુસી કરનાર CRPFનો જવાન ઝડપાયો
પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. NIA એ CRPFના ASI મોતી રામ જાટને પાકિસ્તાન માટે જાસૂસી કરતી થતી પ્રવૃત્તિઓના આરોપસર ધરપકડ કરી છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, આ જવાન હુમલા માત્ર 6 દિવસ પહેલાં સુધી પહેલગામમાં જ પોસ્ટેડ હતો, જ્યાં 22 એપ્રિલે થયેલા હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા.
NIA દ્વારા કરાયેલ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મોતી રામ જાટ છેલ્લા કેટલાંક સમયથી PIO (Pakistan Intelligence Officers) સાથે સંપર્કમાં હતો અને તેણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી પહોંચાડી હતી. તેને આ બદલામાં પૈસા પણ મળતા હતા. CRPF દ્વારા જવાનને તરત અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
CRPF અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે સુરક્ષા પ્રોટોકોલ ભંગ કર્યો હતો, જેને આધારે તેની ધરપકડ થઇ.
ભારતે હુમલાનો બદલો “ઓપરેશન સિંદૂર” દ્વારા લીધો અને 9થી વધુ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને નષ્ટ કર્યા. પાકિસ્તાની સેનાએ આ પછી યુદ્ધવિરામની અપીલ કરી હતી.