પાકિસ્તાન એરફોર્સ ટેરરિસ્ટ એટેકઃ પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર મોટો આત્મઘાતી હુમલો થયો છે. આતંકી સંગઠન તહરીક-એ-જેહાદે આ હુમલાની જવાબદારી લીધી છે. હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં મિયાંવાલી એરબેઝને ભારે નુકસાન થયું છે.
પાકિસ્તાની સેનાનું નિવેદન
પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેણે ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ કહ્યું છે કે આતંકી હુમલો નિષ્ફળ ગયો છે. આ સાથે સેનાએ જણાવ્યું છે કે તેમનું ઓપરેશન અંતિમ તબક્કામાં છે.