સૌપ્રથમ ભાજપે સરકાર રચવામાં અસમર્થતા દર્શાવતા બીજી સૌથી મોટી પાર્ટી શિવસેનાને રાજ્યપાલે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. શિવસેનાને 24 કલાકનો સમય આપવામાં આવ્યો હોવા છતાંયે તે સરકાર રચવાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી શકી નહોતી. ત્યાર બાર રાજ્યપાલ એનસીપીને સરકાર રચવા અમંત્રણ આપ્યું હતું. તેને પણ 24 કલાક જેટલો સમય આપવામાં આવ્યા બાદ પણ તે સરકાર રચવાનો દાવો રજુ કરી શકી નહોતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલે કેન્દ્રીય મંત્રીમંડળને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજુરી માંગી હતી. જેને કેબિનેટે મંજુરી આપી દીધી હતી. ત્યાર બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની મંજુરી પર આખરી મહોર મારી દીધી હતી. આ સાથે જ મહારાષ્ટ્રના ઈતિહાસમાં ત્રીજીવાર રાષ્ટ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે.