મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસ ચાલેલી બેઠક પૂર્ણ થઇ ગઈ છે અને આજે RBI લગભગ સવારે 10 વાગે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી શકે છે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તેની જાણકારી આપશે. હાલની પરિસ્થિતિને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરોમાં ફરી એકવાર કાપ મુકવામાં આવી શકે છે. જેથી કોરોના મહામારીના મારથી બિમાર પડેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરી શકાય.
ઉલ્લેખનિય છે કે RBIની બેઠક સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં યોજાવાની હતી જો કે કેટલાંક કારણોસર તે મુલત્વી રાખવામાં આવી હતી.
આ અગાઉ ઓગસ્ટમાં યોજાયેલ ધિરામનીતિની બેઠકમાં આરબીઆઇએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. રેપો રેટ 4% પર સ્થિર રહ્યો હતો અને રિવર્સ રેપોરેટને પણ 3.35% પર સ્થિર રાખવામાં આવ્યો હતો. જો આ હાલની બેઠકમાં રેપોરેટ ઓછો કરવામાં આવે છે તો તો ગ્રાહકોએ ઇએમઆઇમાં રાહત મળશે.
કેન્દ્રીય બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે જરૂરિયાતના હિસાબે આર્થિક નીતિઓમાં બદલાવ થઈ શકે છે અને વ્યાજ દરોમાં પણ ઘટાડાની શક્યતા પણ જણાય છે. ઉલ્લેખનીય છે કે એસોચેમના મહાસચિવ દિપક સૂદે જણાવ્યું હતું કે આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડાનો સિલસિલો યથાવત રાખવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે બેન્કર્સનું કહેવું છે કે મોંઘવારીના દબાવમાં રેપો રેટમાં ઘટાડો શક્ય નથી લાગી રહ્યો. ત્યારે બીજી તરફ દેશના અંદાજીત તમામ નિષ્ણાંતોનું માનવું છે કે રેપો રેટમાં ઘટાડાની આશા અત્યંત ઓછી છે. ત્યારે બજારના વિશ્લેષકોનું માનવું છે કે જૂન ક્વાર્ટરમાં ભારતના વિકાસદરમાં વિક્રમી ઘટાડા બાદ રિઝર્વ બેન્કની આ પ્રથમ બેઠક યોજાઇ રહી છે ત્યારે તેમાં લેવાનાર નિર્ણયતો ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.