ભારતીય રિઝર્વ બેન્ક તરફથી વ્યાજદરમાં વધારો કરવાથી આમ જનતા માટે માઠા સમાચાર છે. આરબીઆઇએ રિવર્સ રેપો રેટ વધીને 6.50 ટકા થયો છે. આરબીઆઇએ વ્યાજદરમાં વધારો કરતાં સામાન્ય લોકોને બેન્કમાંથી લોન લેવી મોંઘી પડશે અને તેની સાથે ઇએમઆઇમાં પણ વ્યાજનો બોજ પડશે. ઉલ્લેખનીય છે આ અગાઉ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ ગત ત્રણ વખત વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નહોતો. આ સમયે કાચા તેલની કિંમતમાં વધારો તેમજ બજેટમાં ઇકોનોમીને લઇને કરવામાં આવેલી જાહેરાતની અસર આરબીઆઇની જાહેરાત પર જોવા મળી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.