મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા શૌચાલય બનાવવાની કામગીરી જે સખી મંડળોને આપવામાં આવી હતી. તે પૈકી અમન સખી મંડળ દ્વારા બનાવાયેલ શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ કરાયાનું સામે આવતાં મેઘરજ ગામમાં અને સમગ્ર પંથકમાં આક્રોશ વ્યાપ્યો હતો અને હોબાળો થતાં ટાઇલ્સો દૂર કરાઇ હતી. મેઘરજ તાલુકાના ભાજપના જિલ્લા મંત્રી કનુભાઈ પરમારને આ અંગે ખબર પડતાં ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકોનો ઉપયોગ થયાનું જોવા મળ્યું હતુ. ઈન્દિરાનગરમાં મકરાણી કાલુભાઈ કરીમભાઈના ઘરે અમન સખી મંડળના મુમતાઝ ખેરાડા અને સમીમબાનો ભાયલા દ્વારા બનાવાતા શૌચાલયમાં હિન્દુ ધર્મના પ્રતિકો જેવા કે શિવાલય, ઓમ, દિવા, ભગવાન કૃષ્ણના, ભગવાન ગણપતિના, શ્રીફળ, કળશના પ્રતિકોવાળી ટાઈલ્સનો ઉપયોગ કરાયો હતો જેને લઈને ગામના હિન્દુ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને કનુભાઈ સહિતના હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ તાલુકા પંચાયતે પહોંચીને ટીડીઓ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટના અંગે ટીડીઓએ સરપંચને જાણ કરતાં સરપંચે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં ઘટનામાં સત્યતા જણાતાં ટાઈલ્સો કઢાવી દેવામાં આવી છે. ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જેને લઈને ગામના હિન્દુ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને લોકોએ અમનસખી મંડળ સામે પોલીસ ફરિયાદ કરવા માંગ કરવામાં આવી હતી. ઘટનાથી ગામમાં ચકચાર મચી હતી.