કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે અને તેની ઝપેટમાં 361 લોકો આવ્યા છે. પીટીઆઈ અનુસાર ચીન સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે તેના 17,205 કેસોની પુષ્ટિ કરી છે અને 2,296 લોકોની હાલત ગંભીર છે. રવિવારે જે 57 લોકોના મોત થયા છે જેમાથી 56 હુબેઈ પ્રાંતના હતા. આ ચેપને કારણે હુબેઇ પ્રાંતમાં વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. તેની રાજધાની વુહાનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસના ચેપ ફેલાવાનું શરૂ થયું હતું અને હવે તે દુનિયા ભરમાં ફેલાવા લાગ્યો છે. ભારત સહિત તમામ દેશોમાં તેના નવા-નવા કેસો સામે આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ વૈશ્વિક ઇમર્જન્સી જાહેર કરી છે.
કોરોના વાયરસ વિષાણુઓનો એક મોટો સમૂહ છે. પરંતુ તેમાંના ફક્ત છ એવા છે લોકોને ચેપ લગાવે છે. સિવીયર એક્યૂર રેસ્પેરેટરી સિન્ડ્રોમ (સાર્સ) એક એવો કોરોના વાયરસ છે જેના પ્રકોપથી 2002-03મા ચીન અને હોંગકોંગમાં લગભગ 650 લોકોના મોત થયા હતા. વુહાનથી શરૂ થયેલા આ નવી બીમારીના જવાબ દાર વિષાણુને નોવેલ કોરોના વાયરસ નામ આપવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસની એક નવી જાત છે, જેની ઓળખ હજી સુધી લોકોમાં ઓળખાઈ શકી નથી.
તેની ઝપેટમાં આવનારા લોકોમાં શરૂઆતમાં તાવ અને શરદી થાય છે. ત્યાર બાદ સૂકી ઉધરસ છે અને જો તેનો ઉપચાર ન કરવામાં આવે તો, લગભગ એક અઠવાડિયામાં શ્વાસની તકલીફ શરૂ થાય છે. ગંભીર મામલાઓની વાત કરીએ તો ન્યૂમોનિય સુધી પહોંચી જાય છે. સાથે દર્દીની કિડની ફેલ થવાની સ્થિતિ બની જાય છે. મોટાભાગે કોરોના દર્દીઓ વૃદ્ધ લોકો છે, ખાસ કરીને જેઓ પાર્કિન્સન અથવા ડાયાબિટીઝ જેવા રોગો સાથે પહેલાથી જ પીડાય રહ્યા છે.