—અદાણી જૂથમાં એલઆઇસી અને એસબીઆઇના વ્યવહારોનો જોખમી ઉપયોગ સામે વડોદરામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા 10 કોંગી કાર્યકરોની અટકાયત
કોંગી નેતાઓનું કહેવું છે કે દેશના નાગરિકો ભાજપ સરકારની કામ કરવાની નિતીરીતિ થી ચિંતિત થઈ ઉઠ્યા છે,નાગરિકોની મહેનતની બચતના રૂપિયાના ખર્ચે ભાજપ સરકાર મોટા માથાઓને ફાયદો કરાવવાની હિલચાલ સામે વિરોધ કર્યો છે.
હાલમાં અદાણી જૂથમાં એલઆઈસી અને એસબીઆઈ જેવી સરકારી સંસ્થાઓના વ્યવહારોનો જોખમી રીતે ઉપયોગ કરવાની હિલચાલ સામે વિરોધ કર્યો છે.
રોકાણો માટે કેટલાક દિવસોમાં કરોડો ભારતીયોની મહેનતની બચતને જોખમમાં મૂકતા રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
અદાણી ગ્રૂપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ છે. અદાણી ગ્રૂપના શેરોમાં ઘટાડો થયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે અદાણી દ્વારા શેર પર લોન આપવામાં આવી છે. અદાણી ગૃપનો એફપીઓ રદ્દ કરવામાં આવ્યો હતો.
જેના લીધે શેરમાર્કેટ પર માઠી અસર થતાં અદાણી સામે હવે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા છે. ‘ઇડી ક્યારે ચડશે અદાણીના ઘરની સીડી’ જેવા બેનરો સાથે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કોંગી કાર્યકર્તાઓએ ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દરમિયાન વિરોધ પ્રદર્શન કરનારા સામે સયાજીગંજ પોલીસે કાર્યવાહી કરી શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.