પાવાગઢમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઉભા હતા એ સમયે પાવાગઢના માચી ખાતે આવેલા વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતા 9થી વધુ શ્રદ્ધાળુઓ દબાયા હોવાના અહેવાલ છે જેમાં એકનું મોત થયું છે સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું છે.
મહત્ત્વનું છે કે પાવાગઢના માચી ખાતે યાત્રિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા ચાચર ચોકની સાઈડ ઉપર પથ્થરના પિલરો ઉપર શિલાઓ ગોઠવી કલાત્મક રેન બસેરા બનાવાયા છે જ્યાં આજે બપોરે અહીં ગાજવીજ સાથે વરસાદ પડતા વરસાદ થી બચવા યાત્રિકો આ રેન બસેરા નીચે ઉભા હતા તે સમયે અચાનક પથ્થરોનું બાંધકામ તૂટી પડતા યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત થયાના અહેવાલો છે
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને અન્ય યાત્રિકોની મદદથી પથ્થરો હઠાવી ઇજાગ્રસ્ત યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તેમજ 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડ્યા હતા.