વડોદરાના ક્રિકેટ જગત માટે હોનહાર ગણાતા અને છેલ્લે સુધી માર્ગદર્શક રહેલા ભૂતપૂર્વ ક્રિકેટર નારાયણરાવ સાઠમનું 73 વર્ષની વયે નિધન થતા ક્રિકેટ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં અભૂતપૂર્વ સ્થાન ધરાવતા નારાયણ સાઠમે વર્ષ 1967-68માં 18 વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું હતું.
નારાયણ સાઠમ રાઇટ-આર્મ-ફાસ્ટ મીડિયમ બોલર હતા અને 1984-1985 સુધી બરોડા ટીમ તરફથી ક્રિકેટ રમતા હતા.
નારાયણ સાઠમે 84 ફસ્ટ ક્લાસ મેચોમાં 193 વિકેટ મેળવી હતી અને 3 હજાર રન બનાવવા સાથે ચાર સદી ફટકારી હતી.
તેઓ ક્રિકેટ રમવામાંથી નિવૃત્ત થયા બાદ પણ નવા ખેલાડીઓને માર્ગદર્શન આપતા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ અંસુમન ગાયકવાડ અને નાયન મોંગીયા જેવા ખેલાડીઓ તૈયાર થયા હતા. સાઠમ બરોડા ક્રિકેટ એસોશિયેસનમાં ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરપર્સન પણ રહ્યા હતા. તેઓ સંગ્રામસિંહ ગાયકવાડ ક્રિકેટ એકેડમીમાં પણ કોચિંગ આપતા હતા. નારાયણ સાઠમના નિધનથી વડોદરાના ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.