વડોદરાના શેરખીમાં રૂા.250 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે એક આરોપીની ધરપકડ બાદ આ પ્રકરણમાં પોલીસની તપાસ પર કોર્ટ દ્વારા સ્ટે અપાયો છે.
શેરખીમાં રૂા.250 કરોડ રૂપિયાની જમીન પચાવી પાડવા મામલે
કલેકટર કચેરીના હુકમ થી નોંધાયેલી ફરિયાદમાં મુંબઈના સંજય કનુભાઈ પટેલે નવીન રતિલાલ પટેલ (રહે જનતાનગર ) અને નિવૃત ડીવાયએસપી સીડી જાડેજાના ભાઈ તખુભા દાજીરાવ જાડેજા, મંજુલાબા રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, વર્ષાબા આર જાડેજા, નિશાબા આર જાડેજા (રહે. મહાદેવનગર નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી.
શેરખી ગામ માં આવેલી ૨૫૦ કરોડ ઉપરાંતની કિંમત ધરાવતી જમીનના રેવન્યુ રેકૉર્ડ ઉપર મયંક સધુરામ પટેલ સહિત ચાર ભાઈઓ ના સહ માલિક તરીકે નામ નોંધાયેલા છે.
આ જમીન નો હિસ્સો જાડેજા પરીવાર ને વેચ્યો હતો પરંતુ મૂળ જમીન માલિક વિદેશમાં રહેતા હોવાથી જાડેજા પરિવારે આખી જમીન ઉપર કબજો જમાવ્યો હોવાનું કહેવાયું હતું.
આ મામલે અદાલત માં સિવિલ કેસ ચાલી રહ્યો છે એ દરમ્યાન મયંક સાધુરામ પટેલ ના કુ. મૂ સંજય ભાઈ પટેલે કલેકટર ને લેન્ડ ગ્રેબીંગ અંગે અરજી કરતા તપાસ બાદ કલેકટરે ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો જેના આધારે પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી નવીનભાઈ રતિલાલ પટેલની ધરપકડ કરી હતી.