વડોદરામાં રહેતો શાહ પરિવાર અમદાવાદ એરપોર્ટ ઉપર હરિદ્વાર જવા ફ્લાઈટની રાહ જોતો હતો અને સોસાયટીમાં રહેતા પડોશીનો ફોન આવ્યો કે તમારા ઘરમાં ચોરી થઇ છે અને હાંફળા ફાફળા પરત ફરતા જોયુતો તસ્કરો ઘર સાફ કરી ગયા હતા.
વિગતો મુજબ પંકજકુમાર કાળીદાસ શાહ (રે.જલારામ સોસાયટી, ટયુબ કંપની સામે, જૂના પાદરા રોડ) પાદરા ખાતેની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમના પત્ની પણ પાદરા તાલુકાના સાંગ્મા ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે. પંકજ શાહ પરિવાર સાથે હરિદ્વાર જવા માટે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા કારણકે 20મી ફેબ્રુઆરીએ ફ્લાઈટ હતી જોકે,ફ્લાઈટમાં બેસે તે પહેલાં સવારે તેમના પડોશી મોહનભાઈ ચુનીલાલ પરમાર ( રે.જલારામ સોસાયટી)નો ફોન આવ્યો હતો કે ‘ તમારા ઘરનું તાળું તુટેલું છે અને ચોરી થઈ લાગે છે આ વાત સાંભળતાં જ પંકજ શાહ પરિવાર સાથે પોતાના વડોદરા ખાતે ઘરે દોડી આવ્યા હતા અને મકાનમાં જઈ જોતાં તિજોરીમાંથી રૂા.1.60 લાખ રોકડા ગાયબ હતા.
શિક્ષક પરિવારના બંધ ઘરમાં રોકડા રૂા.1.60 લાખની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું પંકજ શાહે તિજોરીમાં રૂા.500ના દરની એક લાખ રૂિપયાની નોટ જ્યારે ઉપરની રૂમમાં પુત્રએ પણ રોકડા રૂા.60 હજાર મુક્યા હતા જે તમામ કેશ તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવતા પંકજ શાહની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.