–દુલીરામ પેંડાવાળાની જૂની હયાત દુકાનની પાછળના ભાગે લોખંડની પાઇપોથી ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા મામલે અગાઉ વડોદરા મહા નગરપાલિકા દ્વારા અગાઉ અપાઈ હતી નોટીશ
વડોદરામાં હાલ તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ દુર કરવાની કાર્યવાહી શરૂ છે ત્યારે ગેરકાયદે બાંધકામ કે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ આંખ કરવામાં આવ્યા બાદ ગેરકાયદે બાંધકામ કરી ચુકેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે, આવા સમયે
વડોદરામાં વર્ષોથી પ્રખ્યાત એવી રાવપુરા ખાતે આવેલી દુલીરામ પેડાની દુકાનના ગેરકાયદે બાંધકામનો મામલો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
શહેરના રાવપુરા મેઇન રોડ ઉપર આવેલ દુલીરામ પેંડાવાળાની જૂની હયાત દુકાનની પાછળના ભાગે લોખંડની પાઇપો દ્વારા પરવાનગી વગર ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા મામલે અગાઉ વડોદરા મહા નગરપાલિકા દ્વારા અગાઉ નોટીશ પણ અપાઈ હતી.
આ ગેરકાયદે દબાણ મામલે મિલકત સીલ કરવા માટે મનપા ના સબંધિત વિભાગ દ્વારા નોટીશ અપાયા બાદ આખી વાત સામે આવી હતી.
વડોદરા મહા નગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા અપાયેલી આ નોટિશમાં જણાવાયુ હતું કે જણાવેલ સ્થળે આવેલ દુલીરામ પેંડાવાળાની જૂની દુકાનના હયાત પાછળના ભાગે આવેલ જગ્યામાં લોખંડની પાઇપો દ્વારા પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સ્ટ્રક્ચર ઉભું કરી દબાણ કરવામાં આવ્યું હોઈ મિલકતના પુરાવા તેમજ નકશા રજૂ કરવા જણાવ્યું હતુ.
આમ,આ ગેરકાયદે દબાણનો મામલો સામે આવ્યો છે.
વડોદરા શહેરમાં વિવિઘ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની ઝુબેશ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે અને કોઈની પણ શેહ શરમ રાખવામાં આવતી નથી ત્યારે આ કિસ્સામાં તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
-ગેરકાયદે સ્ટક્ચર હોયતો તંત્રને તોડતા કે સીલ કરતા કોણ રોકે છે? શું છે મામલો?
વડોદરામાં જાણીતી દુલીરામ પેંડાવાળાની રાવપુરા મેઇન રોડ ઉપર આવેલી હયાત દુકાનની પાછળના ભાગે લોખંડની પાઇપો વડે તંત્રની કોઈ પરમિશન વગર ગેરકાયદેસર રીતે જે સ્ટક્ચર ઉભું કરવામાં આવ્યું હોવાની વાત છે અને વડોદરા મનપા દ્વારા આ અંગે ફેબ્રુઆરીમાં નોટીશ આપી ખુલાસો માંગ્યો હતો અન્યથા દુકાન સીલ કરવા જણાવ્યું હતું હવે આટલો સમય નીકળી ગયો છે અને શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હઠવવાનું ચાલુ છે ત્યારે દુલીરામ પેંડા વાળાની દુકાનના આ ગેરકાયદે સ્ટ્રક્ચર હઠાવવા કે સીલ કરવામાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તે પણ કેટલાક સવાલ ઉઠ્યા છે અને જો બધું બરાબર છે તો નોટીશ આપી ખુલાસો કેમ માંગ્યો તે સવાલ જનતામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.