–વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર નોટીશ પાઠવી પોતાની ફરજ પૂર્ણ કરે છે
-જો કોઈ દુર્ઘટના ઘટેતો તંત્ર વાહકો કહે કે અમેતો નોટીશ આપી હતી તેમ કહી છૂટી જાય
-શુ કોઈ વહીવટ થઈ રહ્યો છે શું ગાંધીછાપની કમાલ છે?લોકોમાં વ્યાપક ચર્ચા
વડોદરામાં મનપાની ટીમ ગેરકાયદે બાંધકામો દૂર કરી રહી છે પરંતુ રાવપુરામાં આવેલી દુલીરામ પેંડાવાળાની દુકાનનું ગેરકાયદે સ્ટક્ચર તંત્ર કેમ દૂર કરતું નથી અથવા સીલ થતું નથી તે અંગે હવે લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે અને વહીવટ થઈ જતો હોવાની લોકોમાં ચર્ચા ચાલુ થઈ ગઇ છે.
દુલીરામ પેંડાવાળાની દુકાનનો આગળનો ભાગ પણ જર્જરિત થઈ ગયો હોવાનું સ્પષ્ટ જણાય છે અને જો ચોમાસા દરમ્યાન આ ભાગ તૂટી પડેતો દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાછતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા કોઈ દુર્ઘટના બનેતો કોણ જવાબદાર તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.
તંત્ર ફક્ત નોટીશ આપી ફરજ બજાવી દેતું હોવાનું જણાય રહ્યું છે ત્યારે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વડોદરામાં રાવપુરા મેઇન રોડ ઉપર આવેલી જાણીતી દુલીરામ પેંડાવાળાની હયાત દુકાનની પાછળના ભાગે પણ લોખંડની પાઇપો વડે તંત્રની કોઈ પરમિશન વગર ગેરકાયદેસર રીતે જે સ્ટક્ચર ઉભું કરવામાં આવ્યું છે તે મામલે ખુદ વડોદરા મનપા દ્વારા ફેબ્રુઆરીમાં નોટીશ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો અને દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ પરંતુ
આટલો સમય નીકળી ગયો હોવાછતાં આગળ કોઈ કાર્યવાહી નહિ થતાં તંત્રની ભૂમિકા ઉપર સવાલો ઉઠવા પામ્યા છે.
વડોદરા શહેરમાં તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં ગેરકાયદે દબાણ હઠાવવાનું ચાલુ છે ત્યારે દુલીરામ પેંડા વાળાની દુકાનના આ ગેરકાયદે સ્ટ્રક્ચર હઠાવવા કે સીલ કરવામાં તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે તે અંગે સવાલ ઉઠી રહયા છે.
ત્યારે આ દુકાનના આગળના ભાગનો જર્જરિત હિસ્સો તેમજ પાછળના ભાગે ઉભું કરાયેલું ગેરકાયદે સ્ટક્ચર દૂર કરવા તંત્ર પગલાં ભરે તે જરૂરી બન્યું છે.