વડોદરા શહેરમાં રોજના 7000 કિલો નકલી પનીરનો જથ્થો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી ઠલવાઇ રહ્યો છે.
વડોદરાવાસીઓ પનીર ખાવાના જબરા શોખીન હોય રોજના 10 હજાર કિલો પનીરની જરૂર પડે છે, જે પૈકી 70% ડુપ્લીકેટ પનીરનો જથ્થો બહારથી આવે છે.
આ નકલી પનીરનો ધંધો વડોદરામાં ખીલ્યો છે અને મહિને 6 કરોડનો કાળો કારોબાર થતો હોવાની વાત સામે આવી છે.
નકલી પનીર કયાં રાજ્યોમાંથી આવે છે અને ગુજરાતમાં ક્યાંથી આવે છે તે અંગે મીડિયામાં અહેલાવો આવતા અમૃતમ ડેરીના કર્મચારી ઉપર આ માહિતી આપવાનો ખાર રાખી ધમકીભર્યો ફોન રાજસ્થાનથી આવ્યો હતો અને કહ્યું કે, ‘તારા શેઠને કહી દેજે આ બધું બંધ કરી દે’ અમે એક હોટલમાં ટેસ્ટિંગ માટે 200 ગ્રામનું સેમ્પલ આપ્યું હતું, તે આણંદ કોર્પોરેશને જપ્ત કર્યું છે તેવા મેસેજ સોશિયલ મીડિયા ગ્રૂપ થકી પહોંચાડાય છે.
જોકે અમૃતમ ડેરીના સંચાલક કે તેમના કર્મચારી દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
આમ,વડોદરામાં નકલી પનીરનો મામલો ગાજયો છે અને અહેવાલો સામે આવ્યા બાદ લોકો હવે ઘરે પનીર બનાવીને ખાવાનું યોગ્ય માની રહયા છે કારણકે બહાર નું પનીર બનાવટી હોવાનો ધડાકો થઈ જતા લોકો બે દિવસથી હોટલોમાં પણ પનીરની આઈટમ ખાવાથી દૂર ભાગી રહયા છે.
અસલી પનીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રા હોય છે, જ્યારે નકલી પનીરમાં અસલમાં દૂધ હોતું જ નથી. અસલમાં અહીં દૂધ પણ નકલી બનાવવામાં આવે છે અને આ નકલી દૂધમાં કેટલાક ઘાતક કેમિકલ તેમજ પામ ઓઇલ, કલરનો ઉપયોગ કરવામાં આવે છે અને બાદમાં પનીર જેવા જ આબેહૂબ દેખાતા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે.