આજકાલ નાદાન ઉંમરમાં કેટલીક દીકરીઓ પોતાના માતા-પિતાની ઉપરવટ જઈને પોતાના પ્રેમી સાથે ભાગી જતી હોવાના કિસ્સા વધતા વાલીઓમાં ચિંતા પ્રસરી છે અને હિન્દૂ- મુસ્લિમ સહિત દરેક ધર્મના પરિવારની દીકરીઓની આ સમસ્યા ધ્યાને લેતા વડોદરામાં ફતેપુરા અને તુલસીવાડીમાં માર્ગ પર પોસ્ટરો લાગ્યા છે જેમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ પોતાની દીકરીઓ ઉપર ધ્યાન રાખવા સૂચન કરી લવ ટ્રેપથી બચવા જાગૃતિ લાવવા જણાવાયુ છે.
જોકે આ પોસ્ટર પર તે લગાવનારી સંસ્થા કે કોઈ સંગઠનનું નામ લખવામાં આવ્યું નથી, મોટી સાઇઝના હોર્ડિંગમાં ઉપરના મથાળે લખવામાં આવ્યું છે કે, જિમ્મેદાર કોણ? બાદમાં વાલીદૈન કી લાપરવાહી સે બેટીયા ખો રહી હૈ અપના ઈમાન, અબ્બુ અમ્મી મોબાઈલ દિયા પર દિન નહિ દિયા, બેટી બહેન લવ ટ્રેપ, દિન સે દૂરી હૈ ઇસ લીયે હમારી બેટિયાં મૂર્તદ (ઇસ્લામ છોડી વિધર્મી) હો રહી હૈ, મા બાપ ભાઈ ખુદ જિમ્મેદાર હૈ કભી ધ્યાન દિયા હી નહિ, કયા કરતી હૈ બહન બેટી મોબાઈલ મેં? આવું લખાણ લખી મુસ્લિમ યુવતીઓને લવ ટ્રેપથી બચવા મોબાઈલથી દૂર રહેવા જણાવ્યું છે.