અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોઈનું ગુજરાત ઉપર સંકટ ટળે તેવી શક્યતા છે અને વાવાઝોડું અન્ય રૂટ ઉપર ફંટાઈ જતા ખતરો ટળે તેવી શકયતા છે પરંતુ વાવાઝોડાનું ન આવેતો તો પણ તેની અસર હેઠળ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓને નકારી શકાય તેમ ન હોઇ, રાજ્ય સરકાર દ્વારા તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે અને વડોદરા પાસે જરોદ ખાતેના NDRFના હેડ ક્વાર્ટરને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
વડોદરાના જરોદ ખાતે આવેલ NDRFની 6 બટાલીયન એલર્ટ મોડ ઉપર છે.
NDRF દ્વારા ચક્રવાત હોય, ભારે વરસાદ હોય કે પછી ભૂકંપ જેવી કોઈ પણ કુદરતી આપત્તિ સમયે કામ કરવા માટે તત્પર હોય છે.
આ ટીમ આપત્તિ સમયે ઉપયોગી બસ ઉપરાંત સ્નીફર ડોગ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો, રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે સજ્જ હોય છે.