ઠંડા કલેજે મહેંદીની હત્યા કર્યા બાદ વિકૃત માનસિકતા ધરાવતા સચિને પ્રથમ પત્ની સાથે કરી મોલમાં ખરીદી
ચકચારી મહેંદી હત્યા કેસમાં એક ન્યૂઝ એજેંસી પ્રમાણે, ઠંડા કલેજે હત્યા કર્યા બાદ તેની પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા માટે સચિન દીક્ષિત ગયો હતો, શુક્રવાર રાત થી જ શિવાંશ ઉર્ફે સ્મિત નામના બાળક ને ગૌશાળામાં ત્યજી દેવાયા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ તરછોડાયેલા આ બાળકનો કિસ્સો જે શનિવાર રાત્રે હત્યાના ગુનાહમાં પરિવર્તિત થઇ ગયો હતો, જે હત્યા હતી શિવાંશની માતા મહેંદીની.
બાળક શિવાંશના માસુમ ચહેરા ને કોઈ ભૂલી શકે નહિ, શિવાંશને આભાષ પણ નથી કે એની માતા સાથે શું થયું છે, સમગગુજરાતમાં ચકચારી મચાવનાર શિવાંશની માતા મહેંદી ની હત્યામાં રોજ તપાસમાં નવા ખુલાસાઓ થઇ રહ્યા છે, આ ગુનાહ ને અંજામ આપનાર સચીન દીક્ષિતે મહેંદી ની હત્યા કરી સુઈટકેસમાં નાખી ફ્લેટમાં મૂકી બાળક શિવાંશને અમદાવાદ આવી ગૌશાળા પર ત્યજી ફરાર થઇ ગયો હતો, હાલ તાપસમાં જાણવા મળેલ કે સચિને હત્યા કરી સુઈટકેસ લાશ નાખી ઉંચકી નહિ શકવાના કારણે કિચેનમાં જ લાશ મૂકી વયો ગયો.
આપને જણાવી દઈએ કે આજે પોલીસે સચિનને લઇ વડોદરા ખાતે ઘટનાનો રીકોન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું, સાથે જ આજે ગાંધીનગર બાર એસો. દ્વારા નિર્દય સચિન નો કેસ લડવાનું પણ મનાઈ જાહેર કરી છે.