વડોદરાઃ વડોદરામાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના છ સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. હોસ્પિટલમાં દાખલ નરેન્દ્રભાઈના પુત્ર ભાવિન હોશમાં આવતા તેણે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જ્યોતિષીઓએ પરિવારને તંગીમાંથી બહાર કઢાવવા માટે ધીમે ધીમે 32 લાખ રૂપિયા પડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન નોંધ્યું છે. જેમાં આ નવો ખુલાસો થયો છે. ભાવિન સોનીનાં નિવેદનમાં કેસમાં નવો વળાંક આવ્યો છે. પરિવાર જ્યોતિષીઓનાં ચક્કરમાં ફસાયો હતો. જ્યોતિષીઓએ પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેર્યા હતા.
પરિવારને સંકળામણમાંથી બહાર કાઢવાનાં નામે જ્યોતિષીઓએ નાણાં ખંખેર્યા હતા. જ્યોતિષીઓને કારણે પરિવાર આર્થિક ભીંસમાં મુકાયો હતો. નાણાં ફસાતાં પરિવારે સામુહિક આપઘાતનો નિર્ણય કર્યો હતા. આ ઘટના બદલ અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળેલી માહિતી પ્રમાણે સામુહિક આપઘાતનો નિર્ણય પરિવારનાં મોભી નરેન્દ્ર સોનીનો હતો. 4 વર્ષનાં પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ દવા પીવડાવી હતી. પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિવારે સામુહિક આપઘાત પહેલાં સ્યુસાઇડ નોટ લખી હતી. સોની પરિવાર પાસેથી ચાર પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે. પોલીસે આ સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના છ સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે પરિવારે કોલ્ડડ્રિક્સમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.