વડોદરા શહેરના માંજલપુરમાં એક નિવૃત ક્રિક્ટર કોચે ગતરોજ વહેલી સવારે સાત માળની ઈમારત પરથી પડતું મુકી જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માંજલપુર વિસ્તારમાં રહેતા 67 વર્ષીય ક્રિકેટર અજય દવેએ કોઈ અગમ્ય કારણોસર 7 માળની ઈમારત પરથી પડતું મુકી આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ ઓસ્ટ્રેલિયા રહેતા તેમના પુત્રને થતા તે પણ વડોદરા આવી પહોંચ્યો હતો.આ ઘટના પાછળનું કારણ જાણવા માટે પોલીસે પરિવારજનોના નિવેદન લેવાનું પણ શરુ કરી દીધું છે.
આ બનાવની વધુ માહિતી પોલીસ સુત્રો પાસેથી મળતા તેમણે જણાવ્યુ હતું કે, અજયભાઈ તેમના પત્નિ સાથે માંજલપુર દિપ ચેમ્બર્સ પાસેની એ-5 વિઠ્ઠલબાગ સોસાયટીમાં રહે છે અને હાલમાં તે નિવૃત જીવન ગાળતા હતા.અજયભાઈ ગર્વમેન્ટની સ્પોર્ટસ ઓથોરિટી તરફથી નિયુકત થયેલા કોચ હતાં સને 2001થી તેમણે કોચિંગ આપવાનું બંધ કર્યું હતું. જેથી તેઓ છેલ્લા કેટલા સમયથી તળાવમાં રહેતા હતા.
નિવૃત્ત ક્રિકેટ કૉચના સ્યુસાઈડ બાદ પોલીસે ઘટના સ્થળના તમામ CCTV કેમેરાના ફુટેજ લઈ તપાસનો દોર ધમધમાટ કર્યો છે. સર્ત્વ હાઈટસ કેમ્પસમાં પ્રવેશ્યા પછીની અજય દવેની ગતિવિધિઓ ચેક કરવા માટે માંજલપુર પોલીસે એપાર્ટમેન્ટના હોદ્દેદારો પાસેથી સીસીટીવી ફુટેજ મેળવ્યાં છે. જે મુજબ વહેલી સવારે 6-31 વાગે તેઓ ચાલતા આવે છે અને સીધા લીફટમાં ૭મા માળે પહોચે છે અને પડતુ મુકીને આત્મહત્યા કરી હતી.