વડોદરામાં રાવપુરા મેઇન રોડ ઉપર આવેલ દુલીરામ પેંડાવાળાની હયાત દુકાનની પાછળના ભાગે આવેલ જગ્યામાં લોખંડની પાઇપો મૂકી પરવાનગી વગર ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા અંગે પાલિકાના ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર દ્વારા નોટીશ પાઠવામાં આવી હોવાછતાં દુલીરામ પેંડાવાળા તંત્રની નોટીશને ઘોળીને પી ગયા છે,પાલિકાના અધિકારી દરેક નોટિસમાં જણાવે છે હવે જો દિન-3માં જરૂરી મિલકતના સાધનિક પુરાવા,મંજૂર નકશા,રજાચિઠ્ઠી વગરે સાથે ખુલાસો નહિ કરો તો આગોતરી જાણ કર્યા વગર મિલકતને સીલ કરવામાં આવશે આ પ્રકારની વારંવાર નોટીસ છતાં દુલીરામ પેંડાવાળા ને કોઈ ફરક પડ્યો નથી ત્યારે પાલિકાનું તંત્ર અહીં એક્શન લેવામાં વામણુ સાબિત થયું છે.
પાંચ પાંચ આ નોટિસ આપી હોવા છતાં કોઈ એક્શન લેવામાં આવતા નથી,ત્યારે માત્ર દેખાવ પુરતી નોટિસો પાલિકા દ્વારા આપવામાં આવે છે પણ આજદિન સુધી સીલ કરવા કે દબાણ હઠાવવા કોઈ એક્શન લેવાયા નથી જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર એકશન લઈ રહ્યું છે.
વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા છાણી નવાયાર્ડથી ટીપી 13 ફાયર સ્ટેશન સુધીના દબાણો તોડી પાડ્યા છે. જેમાં 50થી વધુ ઝુંપડા અને દુકાનોના શેડના દબાણ હઠાવ્યા હતા.
છાણી ટીપી-13 વિસ્તારમાં તરુણનગર સોસાયટી ચાર રસ્તાથી ફાયર બ્રિગેડ સુધી અને રાધિકા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના માર્જિનમાં સહિત કુલ 50થી વધુ ગેરકાયદે શેડ દૂર કરાયા હતા.
જોકે,દુલીરામ પેંડાવાળા પાસે પાલિકાનુ કાંઈ ઉપજતુ નહિ હોવાની વાત સપાટી ઉપર આવી રહી છે કારણકે નોટીસમાં ઉલ્લેખ છે કે હવે કોઈ આગોતરી જાણ કર્યા વગર એક્શન લઈશું પણ આ દરેક નોટીસમાં ત્રણ દિવસની મુદ્દત વીતી ગયાના મહિનાઓ વીતવા છતાં વડોદરા મનપા કોઈ એક્શન લઈ શક્યું નથી જે સત્ય હકીકત સામે આવી છે ત્યારે એકને ખોળ અને બીજાને ગોળની નીતિ રાખતા તંત્ર વાહકો દુલીરામ પેંડાવાળા સામે કેમ પગલાં ભરતા નથી તે વાત ભારે ચર્ચાનો વિષય બની છે.