વલસાડ ની અટાર સ્થિત માનવ સેવા ટ્રસ્ટ વૃદ્ધ આશ્રમ ખાતે છેલ્લા ચાર વર્ષ થી શ્રી સાઈ યુવક મંડળ દ્વારા પોતાના પરિવાર થી દુર અને માનવતા આજ ના યુગ માં પણ જીવન્ત રાખવા સાઇ પરિવાર દ્વારા વૃદ્ધા આશ્રમ ખાતે ગણેશ જી ની માટી ની મૂર્તિ ની સ્થાપના કરી ભક્તિમય વાતાવરણ તૈયાર કરે છે જેના ભાગ રૂપે ત્રણ દિવસ શ્રીજી ની પ્રતિમા ની સ્થાપના કરી છેલ્લા દિવસે વૃદ્ધા આશ્રમ ખાતેજ બાપા ની પ્રતિમાને વિસર્જન કરવામાં આવે છે જેમાં છેલ્લા દિવસે સાઈ પરિવાર દ્વારા સત્ય નારાયણ ભગવાન ની કથા રાખવામાં આવ્યું હતું સાથે ભજન-કીર્તન પણ રાખ્યું હતું જેમાં ખૂબ ઉત્સાહ થી આશ્રમ ના વડીલો ભાગ લીધો હતો જ્યારે શ્રીજી ની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા નું મોટા તબ માં પાણી ભરી ત્યાંજ વિસર્જન કરી બાદમાં મૂર્તિ ઓગળી ગયા બાદ એ પાણી ને વૃક્ષમાં વિસર્જિત કરી દેવામાં આવે છે,ત્યારે આ કાર્ય થકી સમાજ માં એક મેસેજ જાય કે માનવતા ની દોરી ટકાવી રાખવી હોય તો ઘરના વડીલ એક વડલા નું ઝાડ સમાન હોય છે જે છાંયડો આપી પોતાના પરિવાર નું રક્ષણ કરતા હોય છે ત્યારે છેલ્લી ઘડી પર આવા વડીલો ને ના છોડવા જોઈએ જેથી સમાજ માં નવી દ્રષ્ટિ ઉત્પન્ન થાય તેવું આ પ્રયાસ છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.