—નદીમાં છોડાઈ રહેલા ગંદા કેમિકલ યુક્ત પાણી મામલે VIAના કમલેશ ભાઈનું કહેવું છે કે ” ઈન્ડિયામાં આ સૌથી શ્રેષ્ઠ CETP પ્લાન્ટ છે!” પ્રદૂષણનો કોઈ સવાલ જ નથી! તેમના મતે નદી પ્રદુષિત નથી
–મજાની વાતતો એ છે કે જે સ્થળે કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવે છે ત્યાં નજીકમાંજ સીસીટીવી કેમેરા પણ લાગેલા છે,કોઈ પત્રકાર અહીં કવરેજ માટે આવેતો તરતજ ઓફિસમાં ખબર પડી જાય છે
–બીજી તરફ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કહેવું છે કે દમણ ગંગા નદી પ્રદુષિત નદીની વ્યાખ્યામાં આવે છે!
–મહારાષ્ટ્રમાંથી નીકળતી દમણગંગા નદી એક સમયે વલસાડનાં વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લોકો માટે આશીર્વાદ સમાન હતી પરંતુ આજે આ નદી પ્રદુષિત થઈ ચૂકી હોવાનું ખુદ કેન્દ્ર સરકાર સ્વીકારે છે
ઔદ્યોગિક નગરી વાપીમાં દમણગંગા નદીમાં છોડવામાં આવી રહેલું ગંદુ પાણી નદીને પ્રદુષિત કરી રહ્યું છે અને પર્યાવરણને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે જે અંગે સત્યડેની ટીમે જ્યારે વાપીની મુલાકાત લીધી ત્યારે કાળું અને ગંદુ પાણી નદીમાં વહી રહ્યાનું નજરે પડ્યું હતુ જે અંગે સત્યડે એ મીડિયાની ફરજ બજાવી કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા.
મજાની વાતતો એ છે કે જે સ્થળે કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં આવે છે તે સ્થળ કવર કરતા અંતરે સીસીટીવી કેમેરા લાગેલા છે.
દરમિયાન કોઈ પત્રકારો કવર કરી રહ્યાનું જોઈ સ્થળ ઉપર બે ત્રણ પ્રતિનિધિ સ્થળ ઉપર મારતી ગાડીએ દોડી આવ્યા હતા અને સાહેબ સાથે ફોન ઉપર વાત કરાવી હતી અને બાદમાં VIAના કમલેશભાઈ એ પણ આમાં પ્રદુષણ જેવું કશું નહીં હોવાનો મૌખિક અભિપ્રાય આપી ઉમેર્યું હતું કે “અહીં દુનિયાનું સૌથી શ્રેષ્ઠ CETP છે!” પ્રદૂષણનો કોઈ સવાલ જ નથી! જોકે,કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કઈક અલગજ કહે છે કે “જીહા દમણ ગંગા નદી પ્રદુષિત છે!”
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી ઔદ્યોગિક નગરી તરીકે વર્લ્ડમાં જાણીતું છે પણ સાથેસાથે પ્રદૂષણ મામલે પણ અવારનવાર વિવાદમાં આવતું રહે છે અને તેથીજ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દ્વારા જ્યારે ગુજરાતની સૌથી પ્રદૂષિત નદીઓની યાદી જાહેર કરી ત્યારે વાપીની દમણગંગા નદીનો પણ ઉલ્લેખ હતો.
મહારાષ્ટ્રમાંથી નીકળતી દમણગંગા નદી વલસાડનાં વાપી તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના લોકો માટે આશીર્વાદ સમાન હતી.
જો કે હવે આ નદી પ્રદૂષણનો પર્યાય બની ચુકી છે અને અહીં નદીમાં વહેતું જુદા જુદા રંગોનું રંગનું પાણી પોકાર કરીને કહે છે કે જુઓ આ પાણી છે કે કેમિકલ? આ કલર એ નેચરલ વોટર નથી પણ કાળા રંગનું ગંદુ પાણી વહે છે જે તેનો પુરાવો છે અને રીતસર નદીમાં મસ્ત બની છોડવામાં આવી રહ્યું છે જે નિયમ મુજબ કેટલું ટ્રીટ થાય છે તેતો સ્થળ ઉપર જાવ ત્યારેજ ખબર પડે!
નદીમાં પ્રદૂષણ એ હદે ઠલવાઈ રહ્યું છે કે હવે નદીમાં સ્વચ્છ પાણીની જગ્યાએ કેમિકલ ભેળસેળ યુક્ત ગંદુ પાણી રહયુ છે, ઉદ્યોગો દ્વારા નિયમ મુજબ ટ્રીટ કર્યા વગર કેમિકલુક્ત પાણી નદીમાં છોડવામાં આવે છે જે વાત વિવાદમાં રહી છે જે અંગે અવાર નવાર મીડિયામાં ચમકતી રહી છે.
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ગત તા.4 ઑગસ્ટ 2022ના રોજ લોકસભામાં આપેલી માહિતી મુજબ દેશમાં 351 નદીઓ પ્રદૂષિત છે અને તે યાદીમાં 20 નદીઓ ગુજરાતની છે તેમાં દમણ ગંગા નદીનો પણ સમાવેશ થાય છે.
ખુબજ ચોંકાવનારી વાતતો એ છે કે વૉટર ઍક્ટ, 1974 લાગુ હોવા છતાં નદીઓ પ્રદૂષિત છે જે મનોમંથનનો વિષય છે.
આ સિવાય અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ટ્રીટમેન્ટ કર્યા વગરનું સુએઝનું પાણી અથવા કેમિકલનું પાણી નદીઓમાં છોડવામાં આવે તો તે રાજ્યના ચીફ સેક્રેટરી, પર્યાવરણ સચિવ અને પર્યાવરણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી જવાબદાર ગણાશે. સુએઝ ડિસ્ચાર્જનું મૉનિટરિંગ પબ્લિક ડૉમેનમાં રિઅલ ટાઇમ દેખાવું જોઈએ એમ પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું અને કોર્ટના ચુકાદા બાદ આ કેસ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં ગયો હતો.
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા પ્રદૂષિત નદીઓ અંગેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં દેશની પ્રદૂષિત 351 નદીઓના વિસ્તારોની ઓળખ કરવામાં આવી જેમાં ગુજરાતની 20 નદીઓનો સમાવેશ થાય છે.
સત્યડે દ્વારા કરવામાં આવેલા રીયાલીટી ચેકમાં સામે આવ્યું કે
નદી,સમુદ્ર,નાળા,ખાડીઓમાં કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અને વન બાય વન સ્થળ તપાસ અને જેતે સ્થળના પાણીના નમૂના લઈ જાતેજ રિપોર્ટ કરાવી જેતે જવાબદાર લોકોના માથા ઉપર મારી સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમાં સુરતમાં પણ કેમિકલ માફિયાઓ દ્વારા મોટા પાયે પ્લાનિંગ સાથે પાઇપ લાઈનો બિછાવી કેમિકલનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વાત સામે આવી છે જેનો પણ અમે પાણીના રિપોર્ટ સાથે પર્દાફાશ કરીશુ.
વાપી પંથકમાં પણ દમણગંગા નદીને પ્રદુષિત કરવાનું પાપ કરનારાઓને પુરાવા સાથે ખુલ્લા પાડવામાં આવશે.