રામ મંદિર બનાવવું, ખેડૂતોને પાકના ભાવો વધારવા, અને યુવાનોને રોજગારી આપવું
પારડી તાલુકાના સુખેશ ગામના રામપોર ફળિયામાં મંગળવાર ના રોજ બપોરે ૩ કલાકે વીએચપીના માજી અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયા હિન્દુઓનો માંગણી પત્ર લઈને ત્રણ મુદ્દા રામ મંદિર બનાવવું, ખેડૂતોને પાકના ભાવો વધારવા, અને યુવાનોને રોજગારી આપવું જેવા અગત્ય ના મુદ્દાઓ પર ભાર દોર્યો હતો. પ્રવીણભાઈ તોગડિયા આજરોજ વલસાડ જિલ્લાની મુલાકાત માં પારડી તાલુકાના સુખેશ ગામના રામપોર ખાતે બજરંગ દળ વલસાડ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બાબુભાઇ પટેલ ના નિવાસ્થાને ૩૦ મિનિટ ની મુલાકાત કાર્યકર્તા ઓ સાથે લીધી હતી. જેમાં મુખ્ય મુદ્દો હિન્દુઓનું માંગણી પત્ર પર હસ્તાક્ષર કરી અને પત્રમાં દર્શાવેલ નંબર પર ફોન કરવો તેમજ ફેસબૂક અને ટ્વિટર સાથે જોડવા માટેની જાણકારી કાર્યકર્તાઓને પુરી પાડી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ નો મુખ્ય હેતુ જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫ ને હટાવવા માં આવે, અને હિન્દુઓની સુરક્ષાનું સન્માન આપે, મંદિરને સરકારી અધિગ્રહણ માંથી તરજ મુક્ત કરવા, તેમજ બાંગ્લાદેશ થી આવેલા મુસ્લિમ ઘુષણકારો ને બહાર કાઢવા, દરેક ધર્મના પરિવારમાં માત્ર બે જ બાળકો હોય એ કાયદો લાવવો, ગૌવંશ હત્યા બંધી ને રાષ્ટ્રીય કાયદો બનાવો, વગેરે કાર્યકર્તા ઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જો કે તેમના પારડીનો મુલાકાતનો પ્રવાસ ને લઇ સવાર થી જ મોટી સંખ્યામાં પોલીસ નો કાફલો ૩ પીએસઆઇ સહીત ૫૦ થી વધુ પોલીસો બંદોબસ્ત માટે જોડાઈ ગયા હતા. અને પારડી થી સુખેશ સુધીના પોઇન્ટ ઉપર પોલીસ જવાનો ને ખડકી દેવાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉપસરપંચ મૃગેશ પટેલ, ભાજપના યુવા તાલુકા પ્રમુખ પુનિત પટેલ, બજરંગ દળ ના ચેતન પટેલ તેમજ કાર્યકર્તાઓ એ પ્રવીણભાઈ તોગડિયા નું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યું હતું। અને પારડી થી નવસારી જવા માટે રવાના થયા હતા.