ભક્તિ મંડળની ટીમ અને સેવાભાવી અગ્રણીઓ એ રાત્રીના રેલવે સ્ટેશને 6 થી 7 કલાક સુધી અટવાયેલા મુસાફરો માટે નાસ્તા ની વ્યવસ્થા કરી
મુંબઈ માં સતત પાંચમા દિવસે આજે પણ ભારે વરસાદના કારણે ટ્રેન વહેવાર ખોરવાયો હતો. ત્યારે જનજીવન અને વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત થયો હતો. અને અનેક ટ્રેનો નો વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. જેના કારણે ટ્રેનો ને ઉદવાડા સ્ટેશન પર ગાઝીમપુર થી મુંબઈ જતી એક્સપ્રેસ ટ્રેન ને ગત રોજ સાંજે સાઈડ માં કરવામાં આવી હતી. જેમાં રાત્રીના અનેક મુસાફરોની કફોડી પરિસ્થિતિની જાણ ઉદવાડા રેંટલાવના અગ્રણીઓ અહમદભાઈ ખોજા, બિપીનભાઈ પટેલ , ગાયત્રી ભજીયા સેન્ટર ના કાળુભાઇ, મહાવીર સ્વીટના કીર્તિભાઇ, જેસ્વાલ સ્વીટના હજારીભાઈ, તેમજ ભક્તિ મંડળ અને ઉદવાડા લાયન્સ ક્લબ ની ટીમ અને સેવાભાવી અગ્રણી મહિલાઓ એ રાત્રીના રેલવે સ્ટેશનના માસ્તર સાથે રહી 2000 જેટલા મુસાફરો માટે બટાકાપૌઆ, પાણી પાઉચ, બીસ્કેટના પેકેટ અને નાના બાળકો માટે દૂધ ની સેવા પુરી પાડી હતી. ટ્રેનોને ઉદવાડા સ્ટેશને સાઈડિગ પર કરતા મુસાફરો અટવાયા હતા.