વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં 174 ગામ અને 1028 ફળિયાઓમાં રહેતા સાડા ચાર લાખ લોકોની વર્ષોથી રહેલી પાણીની સમસ્યા દૂર થઈ જશે.
અહીં એસ્ટોલ પ્રોજેક્ટનું 10મી જૂને PM મોદી લોકાર્પણ કરશે, 200 માળ જેટલી ઊંચાઈએ પાણી પહોંચાડી વલસાડના પહાડી વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.
ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એન્જિનિયર્સે કમાલ કરી છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે. માનનીય વડાપ્રધાન દ્વારા તેના ઉદ્ઘાટન પછી ધરમપુર અને કપરાડા વિસ્તારના 174 ગામડાઓમાં રહેતા 4.50 લાખ લોકોનું જીવન સુખમય બનશે.
આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના પ્રમાણે અહીં વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકતો નથીછે કે ન તો ભૂગર્ભજળની પરિસ્થિતિ સારી છે, કારણકે અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષાઋતુના સમયમાં અહીંના જળાશયોના પાણી જમીનની અંદર ઉતરી શકતું નથી પરીણામે ચોમાસુ પૂર્ણ થતાંજ થોડાક સમય પછી જ અહીંના જળાશયો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. વર્ષ 2018માં રૂ.586.16 કરોડના ખર્ચે આ પહાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી દરરોજ પીવાનું પાણી પહોંચે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે એસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી જે હવે સાકાર થવા જઈ રહી છે.
મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજના છે.
આ પ્રોજેક્ટ હેઠળ 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર છે, જેના દ્વારા દરરોજ લગભગ 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આમ,સરકારની આ યોજનાનો અહીંના લોકોને ફાયદો થશે.