—લોકોનો એકજ મત, સરકારી જમીન છે અને નિયમ મુજબ સરકારમાં પરત જવી જ જોઈએ!
–જ્યાં સુધી આ જમીન સરકારશ્રીના હસ્તક નહીં લેવાય ત્યાં સુધી સત્યડે આમુહીમને જનહિત માટે ચાલુ રાખશે
ગુજરાત સરકાર પાસેથી વલસાડ પાલિકાના કર્મચારીઓ માટે મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટે સીટી સર્વે નંબર 1772/2 ની જમીન મેળવ્યા બાદ પાલિકાના કર્મચારીઓ પાસેથી વલસાડના બિલ્ડર હિમાંશુ વશીએ સરકારી ફ્લેટો ખરીદ્યા બાદ તેને વેચી મારવાનું પ્રકરણ ભારે ગાજયું છે ત્યારે પ્રેસવાળાને બોલાવી ફોટા પડાવી વાહવાહી કરનારું અને નાના ગરીબ માણસો ઉપર હાવી થઈ જતું નપાનું તંત્ર આવા મોટા ખેલ કરે ત્યાં કોને કહેવું?
વલસાડમાં જો દુકાન પાસે જો એક ઓટલો પણ બની ગયો હોય કે પછી કોઈ ગરીબનું પાથરણું હોય કે પછી હોય કોઈ ગરીબની લારી હોય આવા બધા ગરીબો સામે નિયમ મુજબ એક્શન લેવાય છે પણ મોટા મગરમચ્છ સામે તંત્રની પીપીડી વાગતી બંધ થઈ જાય છે તે કિસ્સામાં લોકોમાં કોમેન્ટ ઉઠી રહી છે.
વલસાડમાં આખે આખી કરોડોની સરકારી જમીન હડપ કરવાના પ્રકરણમાં જવાબદારો એ આંખ આડા કાન કરી વહેતી ગંગામાં સૌ એ હાથ ધોઈ લીધા હોવાની વાત સપાટી ઉપર આવી છે.
હવે સવાલ એ થાય કે આ સરકારી જમીન ઉપર હાલમાં લોટસ હોસ્પિટલ દ્વારા જે સરકારી જમીન પર બાંધકામ બંધાઈ રહ્યું છે તે શું ખાલસા થશે ખરું ? આ એકજ વાત ઉપર નગરજનો મીટ માંડીને બેઠા છે.
જમીને જ જો સરકારી હોય તો તે સરકારમાં પરત જવી જોઈએ
નગરપાલિકા કર્મચારીઓ પાસેથી હેમેન્દ્ર વશીએ સરકારી ફ્લેટો ખરીદ્યા હતા અને હેમુ વશી વલસાડના નામચીન બિલ્ડરોમાના એક છે તેઓ સારી રીતે સમજી શકે છે કે આ જમીન સરકારી ગણાય અને પ્રાઇવેટ વાણિજયક હેતુ માટે ઉપયોગ ન થઈ શકે.
ટૂંકમાં જમીન સરકારી છે તો સરકારના હસ્તક જવી જ જોઈએ અને જ્યાં સુધી આ જમીન સરકારશ્રીના હસ્તક નહીં લેવાય ત્યાં સુધી સત્યડે આમુહીમને જનહિત માટે ચાલુ રાખશે
વલસાડના કલેકટર શ્રી આ બાબત ધ્યાન પર લઈ હાલ ચાલી રહેલા કન્સ્ટ્રક્શન પર રોક ક્યારે લગાવે તે જરૂરી છે.
1982ના પ્રોપર્ટી કાર્ડમાં કબ્જેદાર પાલિકાના સીઓ અને સરકારની માલિકીનો ઉલ્લેખ ધરાવતી મ્યુનિ.સ્ટાફ ક્વાર્ટસ એપાર્ટમેન્ટ માટેના સીટી સર્વે નંબર 1772/2 ની જમીનનો મામલો છે અને ખાનગી વ્યક્તિઓ દ્વારા મ્યુનિ. કર્મચારીઓ પાસેથી ફ્લેટો અને સદર જમીનમાં વરાડે હિસ્સાના દસ્તાવેજો બનાવી એકત્રીકરણ કરી 2012, 2015 અને 2018 માં વિવિધ વેચાણ દસ્તાવેજો બનાવીને જે રીતે કૃત્ય કરવામાં આવ્યું તે બિલકુલ નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે છે.
રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર 3297 તા.2/6/18 થી 712.98 ચોમી વેચાણ થયો જેમાં વેચાણ આપનાર રૂપાલી ગૌરાંગ દેસાઈ,નેહા ભાવેશ દેસાઈ,રીના ઉલ્કેશ દેસાઈનું નામ કમી કરી વેચાણ લેનાર શ્રી ઉત્કર્ષ હેલ્થ ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ કંપની તરફે તેના અધિકૃત ડિરેક્ટર એવા ડો.કલ્પેશ બીપીન ચંદ્ર જોષીનું નામ વલસાડ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલું છે જે દર્શાવે છે કે
પ્રજાહિત માટે સરકાર તરફથી અપાયેલ આ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસેથી નીકળી ને પ્રાઇવેટ વાણિજયક હેતુ માટે ઉપયોગમાં લેવાય રહી છે.
હવે જ્યારે મામલો સામે આવીજ ગયો છે ત્યાર સરકાર તરફે તંત્રએ કામગીરી કરવાની રહે છે, વલસાડ શહેર ના નાગરિકો તરફે એકજ સવાલ છે કે પ્રજાહિત માટે સરકાર તરફથી અપાયેલ જમીન પાલિકાનાં સત્તાધીશો પાસેથી નીકળી ને પ્રાઇવેટ સંસ્થાઓ પાસે વાણિજયક હેતુ માટે પહોંચી છે જે જાહેરહિત માટે પરત મળવી જોઈએ.
આજની કિંમતે કરોડો ની બજાર કિંમત વાળી જમીન વેચી મારવાના કેસમાં જવાબદાર ઇસમો સામે કાર્યવાહી કરવી કે ન કરવી તે પણ તંત્ર ઉપર છોડ્યું છે પણ કમસેકમ આ જમીન ખાલસા થશે તો પણ જનતાને થશે કે ચાલો તંત્રએ કંઈક તો કર્યું!
મહત્વનું છે કે વલસાડના જ ટીવી રીલે કેન્દ્ર પાસે આવી નગરપાલિકાની જમીન કે જ્યાં પાલિકાના કર્મચારીઓ માટેના રહેણાંક હતા અને તે જમીન કર્મચારીઓ બારોબાર વેચવાની પેરવી સમયે મામલો બહાર આવતા આખરે તે જમીન ખાલસા કરવામાં આવી હતી ત્યારે હવે આવુજ ભૂત અહીં ધુણવા માંડ્યું છે ત્યારે આ કિસ્સામાં વલસાડ કલેકટર આ જમીન પણ ખાલસા કરશે કે કેમ? તેતો સમયજ કહેશે.