વલસાડ તાલુકાના ડુંગરવાડીમાં સબંધિત વિભાગે રમણ ફકીરભાઈ પટેલની માલિકીની જગ્યામાં પેવરબ્લોક નાખી દેતા વિવાદ ઉભો થયો છે અને હવે જમીન માલિક આ પેવરબ્લોક કાઢી લેવા વારંવાર ફરિયાદ અને વિન્નતી કરી રહયા હોવાછતાં તેઓની વાત કોઈએ ધ્યાને નહિ લેતા તેઓ એ આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી ન્યાયની માંગણી કરી છે.
રજુઆત માં જણાવાયુ છે કે વલસાડના દિવેદગામે ટીએસપી વિભાગ દ્વારા ડુંગરવાડી, હળપતિવાસમાં રોડના કામે રૂ.10 લાખ મંજુર થયા હતા પણ અન્ય યોજનાઓમાં આ રસ્તો હોટમિક્સ પદ્ધતિથી ડામર સપાટી વાળો રોડ બનાવી દેવાયો છે અત્યારે આ ફંડમાંથી તેઓની કબ્જાવાળી વડીલો પાર્જિત જમીનમાં વલસાડ તાલુકા પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે પેવરબ્લોક બેસાડી દીધા છે આ અંગે કામ કરનાર એજન્સી અને ગ્રામ પંચાયતને ફરિયાદ કરતા ઉડાઉ અને ઉદ્ધત જવાબ આપી તોડછું વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે.
આ અનુસંધાને ખાનગી ઘરોના આંગણામાં અને તિથલ,સેગવી,મગોદ, ભગોદ, પારનેરા રસ્તાના માર્જીનમાં પેવરબ્લોક બેસાડવામાં આવી રહયા છે.
તેવે સમયે પોતાની માલિકીની જમીનમાં બેસાડી દેવામાં આવેલ પેવરબ્લોક દૂર કરવા રજૂઆત થઈ છે.