મહારાષ્ટ્ર અને સુરત માં કોરોના ભયંકર રીતે વકર્યો ત્યારે વલસાડ માં કોરોના ના કેસો નહિવત હતા પણ આ બંન્ને વિસ્તારમાં લોકો ની આવન જાવન ચાલુ રહેતા વલસાડ જિલ્લા માં ખુબજ ઝડપથી કોરોના સ્પ્રેડ થઈ ગયો અને છેલ્લા ત્રણ જ દિવસમાં જ 35 કેસ નોંધાતા વલસાડ માં પણ કોરોના સંક્રમણ ને વધુ ફેલાતું અટકાવવા માટે સ્થાનિક તંત્ર હવે એલર્ટ થયું છે અને કોરોના ની ગાઇડલાઈન પાળવા લોકો ને સહયોગ માટે અપીલ કરવામાં આવી છે ઉપરાંત વલસાડ તાલુકા હોલસેલ વેપારી મંડળ, ચેમ્બર્સ ઓફ કોમર્શ,જ્વેલર્સ સહિતના વેપારીઓ સાથે પ્રાંત અધિકારી વચ્ચે મળેલી તાકીદની બેઠક માં વલસાડ તાલુકામાં કોરોનાની સ્થિતિ ધ્યાને રાખી આખરે તા. 5 એપ્રિલ સોમવારથી રાતે 8 પછી દૂકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી કેટલાક અંશે સફળતા મળશે પણ સાથે જ માસ્ક અને કોરોના ની ગાઇડલાઈન નો લોકો જાતેજ અમલ કરશે તો સ્થિતિ કાબુ હેઠળ આવી શકશે.
એપ્રિલ-2021 ની શરૂઆતમાં જ જિલ્લામાં કોરોના ખુબજ ઝડપ થી વકર્યો હોવાના આંકડા સામે આવ્યા છે.શનિવારે વલસાડ જિ.માં 21 કેસ નોંધાયા હતા.જેમાં અબ્રામા અને હાલરના 2 ખાનગી ડોકટર,પિતાપૂત્રી અને સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે.ચાલૂ મહિના ના પ્રથમ 3 દિવસમાં જ 57 કોરોના પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ 35 કેસ તો વલસાડમાં જ નોંધાયા છે જે હકીકત છે.
આમ તો વલસાડ જિલ્લામાં માર્ચ મહિના થી જ કોરોના ના કેસો માં વધારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ એપ્રિલથી કોરોના કેસો માં ઉછાળો આવ્યો છે જે માર્ચ કરતા પણ વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગે કોવિડ-19ની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવા પર ભાર મૂકી ચેકિંગની કાર્યવાહી શરૂ કરી છે.
ગતરોજ શનિવારે વલસાડ જિલ્લામાં કુલ 21 કેસ નોંધાયા હતા.જેમાં વલસાડ તાલુકામાં જ 11 કેસ જોવા મળ્યા હતા.જ્યારે અન્ય તાલુકા પારડીમાં 5,વાપી 3, ઉમરગામ તાલુકામાં 1 અને કપરાડા તાલુકામાં 1 કેસ પોઝિટિવ મળ્યો હતો.
આમ વલસાડમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે હવે એક પછી એક તબક્કાવાર પગલાં ભરાઈ રહ્યા છે અને સોમવાર થી તેનો અમલ શરૂ થઈ જશે.