વલસાડશહેર માં સવાર થીજ બેંકો બહાર લોકો ની લાંબી ભીડ જોવા મળી હતી,શહેર માં નોટો બદલવા માટે ની ચર્ચા દિવસભર જોવા મળી હતી.શહેર માં બજારો સુમસાન અને મંદી નો માહોલ જોવા મળ્યો હતો.
મોટાભાગના લોકો કામધંધા છોડી ને બેંકો માં ઉમટી પડ્યા હતા અને બેંક માં પૈસા જમા કરાવવાથી માંડીને નોટ બદલવાની પ્રક્રિયા હાથ ધરી હતી સરકાર દ્વારા રૂ.૫૦૦ અને ૧૦૦૦ ના નોટો ચલણ માંથી બહાર કરી દેવાના પગલા અંગે લોકો માં મિસ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા,કેટલાક લોકો એ મોદીજી ના આ પગલા ને આવકાર્યું હતું તો કેટલાકે લોકો ને ખરીદી થી માંડી પડી રહેલી મુશ્કેલી અંગે પોતાની નારાજગી બતાવી હતી
વલસાડ માં વેપારીઓ સાથે સાથે લોકો ની હાલત કફોડી થઇ ગઈ હતી ,ખાસ કરી ને જીવન જરુયાત ની ચીજ વસ્તુઓ ની ખરીદી માટે ૧૦૦ ના દર ની નોટો મિત્રો અને સબંધીઓ પાસે થી લેવા નો વારો આવ્યો હતો ,બેંક બહાર ઉભેલા લોકો પૈસા મળે પછી ખરીદી નો પ્લાન બનાવ્યો હતો,બીજી તરફ વેપારીઓ હજુ તો દિવાળી ના વેકેસન ની રજા માંથી માંડ ધંધા ચાલુ કાર્ય ત્યાજ નોટ પ્રકરણ ઉભું થતા ધંધા સુમસાન બનતા તેવો ઉધાર માલ આપી નવા ચલણ ની રાહ જોઈ રહ્યા છે.આમ વલસાડ માં મોટી માત્રા માં લોકો એ નોટો જમા કરાવી હતી જે પ્રક્રિયા આગામી દિવસો સુધી ચાલે તેવી સ્થિતિ જોવા મળી રહી છે