વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા કોપરલી રોડ ઉપર રામેશ્વર મંદિર પાસે ગત તા. 8મી મે 2023ના રોજ વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેશ પટેલની થયેલી ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ હત્યા કેસમાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેઓને સાથ આપનારા કોણ કોણ હતા તે દિશામાં તપાસ કરતા મર્ડર કેસના આરોપીઓને મદદ કરનારાઓ ના નામો ખુલતા પોલીસે આવા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.
પકડાયેલા ઈસમોએ હત્યા પહેલા અને હત્યા બાદ મર્ડર કેસના આરોપીઓને રહેવા, જમવા અને અન્ય સુવિધાઓ પહોંચાડી હોવાનું ખુલ્યું છે.
હત્યા બાદ આરોપીઓના કપડાં બેગ સહિતના પુરાવાઓ નાશ કરવાની ભૂમિકા ભજવના 3 આરોપીઓના નામ ખુલતા વલસાડ LCBની ટીમે નિલેશ બાબુભાઇ આહીર, મિલનભાઈ વિનોદભાઈ પટેલ અને પરીક્ષિત ઉર્ફે લાલુ નટુભાઈ આહીરની ધરપકડ કરી આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ LCBની ટીમે આગવ ઝડપેલાં આરોપીઓની કકડાઈથી પૂછપરછ કરતા આરોપી વિપુલ પટેલની કારમાં વિપુલ પટેલની વાડીમાં લઈ ગયો હતો. હત્યા બાદ નિલેશ આહીરના જણાવ્યા અનુસાર હાલમાં ઝડપાયેલા આરોપીઓએ હત્યારાનો સામાન, ગાદલા વગેરે નાસ કર્યા હતા. શૈલેષ પટેલની હત્યા આરોપીઓ કરી હોવાનું આ આરોપીઓ જાણતા હોવાછતાં મદદ કરતા છેવટે જેલમાં જવાનો વારો આવ્યો છે.
હત્યા નિપજાવના મુખ્ય આરોપીઓની ધરપકડ કરવા રાજ્ય બહાર અલગ અલગ વિસ્તારોમાં પોલીસ તપાસ કરી રહી છે.