વલસાડ સ્ટેટ હાઇવેની બાજૂમાં રેલવે વિભાગની જમીનમાં કમ્પાઉન્ડ વોલ બાંધી શોર્ટ કટ રસ્તાઓ બંધ કરવા અને રોડ માર્જિન છોડવામાં ન આવતાં ધારાસભ્ય ભરત પટેલે વિરોધ કરી બંધ કરાયેલા રસ્તા ખુલ્લા કરવા માંગ કરી હતી.
વલસાડમાં સ્ટેશન રોડના ટ્રાફિક સર્કલ અને રેલવેના મૈત્રી હોલથી રેલવે સુરક્ષા દળ કચેરી સુધીના સ્ટેટ હાઇવેને લાગૂ રેલવે યાર્ડની જમીનમાંથીકેટલાક શોર્ટ કટ રસ્તાઓ ચાલી આવે છે.જ્યાંથી ઘણા વર્ષોથી લોકો સ્ટેશને જવા માટે અવરજવર કરતા હોય છે પણ રેલવે દ્વારા હાલ બાઉન્ડરી વોલ બનાવવાનું શરૂ છે અને શોર્ટ કટ રસ્તા બંધ કરવામાં આવતા જતાં લોકોને મુશ્કેલીઓ શરૂ થતાં અને રેલવે વિભાગે બનાવેલી દિવાલ બાંધકામમાં સ્ટેટ હાઇવે રોડનું માર્જિન છોડવામાં આવ્યું ન હોય આ વાત ધ્યાને આવતા ધારાસભ્ય ભરત પટેલે રેલવેના એરિયામેનેજરને રજૂઆત કરી તેના ઉકેલ લાવવા જણાવ્યું હતું સાથેજ રેલવે મંત્રી દર્શના બેન જરદોષ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ડો.કે.સી.પટેલને પણ જાણ કરી આ વાતનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.