વલસાડમાં વીજ કંપનીના પાપે સાત અબોલ જીવના મોત થઈ ગયા છે વીજ કંપનીની બેદરકારી માનવ જીવ માટે પણ ખતરો બની રહી છે ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાની શક્યતા વ્યકત થઈ રહી છે. ભાગડાવડા ગામે આવેલા પાલીહીલ -3 નજીક ખુલ્લી જગ્યામાં 7 જેટલી ભેંસ ચરતી હતી તે દરમિયાન વીજ તાર લટકેલી હાલતમાં હોવાથી ભેંસને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 7 જેટલી ભેંસોને કરંટ લાગવાના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા. જેને લઇને ભારે ચકચાર ફેલાઈ છે.
વલસાડ રૂરલ G.E.B સામે અગાઉ થીજ અનેક ફરિયાદ ઉઠવા પામી છે.તેમ છતાં રૂરલ G.E.B ના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે નફ્ફટ બનેલું તંત્ર હજુપણ નહિ સુધરે તો મોટી જાનહાની નો ખતરો તોળાઈ રહ્યો છે.