વલસાડ: ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ,વલસાડ દ્વારા દરવર્ષ ની જેમ આ વર્ષે પણ 15ઓગસ્ટ સ્વતંત્ર દિવસ ની ઉજવણી ની ભાગ રૂપે વલસાડ ના મોંઘાભાઈ હોલ ખાતે મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમનું મુખ્ય હેતુ મુજબ આ વર્ષે જન્માષ્ટમી અને સ્વતંત્ર પર્વ એક દિવસે હોય જેમાં માનવ સેવા એજ પ્રભુ સેવા ની ઉદાર ચિતાર ને સાકાર કરવા ઉમિયા સોશિયલ ગ્રુપ ના યુવાનો ભારે ઉત્સાહ થી આ મહા રક્તદાન શિબિર ને ખુલ્લું મક્યું છે.
જેમાં જન્માષ્ટમી પર્વ ની ઉજવણી નો નજારો જોઈ શકાય તેના માટે વૃંદાવન સેલ્ફી ઝોન આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું એ સાથે ઉમિયા ગ્રુપ દ્વારા દર વર્ષે તમામ રક્ત દાતા ઓ ને ગિફ્ટ આપવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે સ્વચ્છ ભારત મિશન સાકાર કરવા ભાગ રૂપે તમામ મહેમાનો તથા તમામ રક્ત દાતા ઓને બે દશબિન આપવામાં આવી હતી સાથે સ્વાચ્છ ભારત મિશન પર બનેલ ટોયલેટ એક પ્રેમ કથા મુવી ની ટિકિટ પણ આપવામાં આવી હતી જ્યારે સવાર થી લગભગ 300 થી વધુ દાતા ઓ એ બ્લડ ડોનેશન કેમ્પ ની અંદર રક્તદાન કર્યું છે જરાયે સાંજ સુધી લગભગ 700થી વધુ દાતા ઓ દ્વારા બ્લડ ડોનેટ કરવાનું લકક્ષય ઉમિયા ગ્રુપ દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે વલસાડ તથા અજુ બાજુ ગામો માંથી ખૂબ મોટી સંખ્યામાં યુવાનો આ કેમ્પ માં ભાગલાઈ માનવતા મહેકાવી રહ્યા છે.