વંદે ભારત અમદાવાદ થી મુંબઇ જતી વેળા વલસાડ સ્ટેશન થી થોડે દુર લોકોસેડ નજીક ટ્રેક પર બળદ આવી જતા ટ્રેન સાથે ટકરાયા બાદ બળદનું ટ્રેન નીચે ફસાઈ જતા મોત થઈ ગયું હતું.
વંદે ભારત સાથે બળદ અથડાયા બાદ 40 મીટર થી વધુ ટ્રેન નીચે બળદ ઘસડાયો હતો
દરમિયાન અકસ્માતની ઘટના બાદ આર પી એફ અને રેલવે સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને ટ્રેન નીચે ફસાયેલા મૃતક બળદ ને બહાર કાઢ્યો હતો.
આ ઘટના ને કારણે 20 મિનિટ થી વધુ ટ્રેન વલસાડ ખાતે રોકાઈ હતી અને
બળદ ને બહાર કાઢ્યા બાદ ચકાસણી કરી વંદે ભારત ટ્રેન ને રવાના કરવામાં આવી હતી.
જોકે આ ઘટનામાં ટ્રેનને કોઈ નુકસાન થયું ન હતું.
અગાઉ પણ પશુઓ ટ્રેન અડફેટે આવી જવાના બનાવો બન્યા છે ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના બની હતી જેમાં બળદ નું મોત થઈ ગયું હતું.