વલસાડ તરફ જો તમે બાયરોડ જવાનું થાયતો સીધા હાઇવે પકડી ગુંદલાવ અથવા ધરમપુર ચોકડી થઈ વલસાડમાં પ્રવેશ કરી શકાશે.
કારણકે કાંપરી રેલવે ફાટક પર આરઓબીના કામ ચાલતું હોય રેલવે દ્વારા 3,6 અને 7 જાન્યુઆરીએ એમ કુલ 3 દિવસ આ રસ્તો બંધ રહેતા ફાટક પરથી પસાર થનારા વાહનોને ગુંદલાવ અને ધરમપુર ચોકડીથી વલસાડ આવવા જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
વલસાડ ડુંગરી રેલવે સ્ટેશન વચ્ચે કાપંરી ફાટક એલસી નં.101 રેલવે ઓવરબ્રિજ પર ડીએફસીસીઆઇએલ અંતર્ગત રનિંગ રેલવે ટ્રેક ઉપર કમ્પોઝિટ ગર્ડર લોન્ચ કરવાની કામગારી 3 જાન્યુઆરીએ તથા 6થી 7 જાન્યુઆરીના રોજ ચાલુ રહેશે પરિણામે ફાટક બંધ રહેશે. પરિણામે સુરત તરફથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે ગુંદલાવ ચોકડી થઇ વલસાડ છીપવાડ ગરનાળા થઇ વલસાડ આવવુ કે જવુ પડશે.આ સાથે ધરમપુર ચોકડી થઇ વલસાડ આરઓબી સાઇલીલા મોલ થઇને આવવુ કે જવું પડશે.
મુંબઇથી આવતા જતા વાહનોને નેશનલ હાઇવેથી વલસાડ આવવા જવા માટે નેશનલ હાઇવેના અતુલ ચોકડી બ્રિજના નીચે થઇ અતુલ પારનેરાપારડી હનુમાન મંદિરથી વલસાડ રેલવે ઓવરબ્રિજ પરથી આવવા જવાનું રહેશે આ ઉપરાંત મુંબઇ તરફથી વલસાડ આવવા કે જવા માટે ધરમપુર ચોકડી થઇ વલસાડ આવવું પડશે.
આમ આ રસ્તો બંધ રહેનાર હોય ઉપરોક્ત મુજબના રસ્તાઓ ઉપરથી વાહન અવરજવર કરી શકશે.