વલસાડ જિલ્લા માં કોરોના વેકશીન અભિયાન ને આવકાર મળી રહ્યો છે ત્યારે વાપી માં આજે શુક્રવારે
આરોગ્ય વિભાગ દ્વારા કુલ 13 સ્થળોએ વેક્સિનેશનની ડ્રાઇવ રાખવામાં આવી છે. જેમાં વીઆઇએ હોલ, વાપી ટાઉન અર્બન હેલ્થ સેન્ટર,ગીતાનગર, સુલપડ,ડુંગરા, ચલા પાલિકા ઝોન કચેરી, આંગણવાડી કેન્દ્ર કોળીવાડ, હરિયાપાર્ક, એન.આર.અગ્રવાલ,વાપી બસ ડેપો, મહાવીર નગર,જય કેમિકલ મળી કુલ 13 સ્થળોએ વેક્સિન અપાશે.
વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગના 363 સબ સેન્ટરો, 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,10 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને તાલુકાના 7 અર્બન હેલ્થ સેન્ટરો ઉપર 45 થી 59 વર્ષની વય ધરાવતા વ્યક્તિઓને કોરોના વેકશીન આપવાનો ગઇકાલ પહેલી એપ્રિલથી પ્રારંભ થઈ ગયો છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દિવસે જિલ્લાના 6 તાલુકામાં કુલ 9037 લોકોને રસી મુકાઇ હતી.
રસીકરણ માટે જિલ્લાના તમામ પીએચસી, સીએચસી, સબ સેન્ટરો, અર્બન હેલ્થ સેન્ટરો ખાતે રસીકરણ કરવાની વ્યવસ્થા કરાઇ હતી. આ ઉપરાંત સ્ટેટ હોસ્પિટલ ધરમપુર, સ્ટેટ હોસ્પિટલ, ચલા, વાપી, વલસાડ સિવિલ હોસ્પિટલ,વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલ સહિતના હોસ્પિટલોમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
લાભાર્થીને વેક્સિન લીધા બાદ કદાચ કોઇ અસર જણાઇ,ચક્કર આવે કેે અસામાન્ય અસર જણાય તો આરોગ્ય હેલ્થ સેન્ટર, એમઓને જાણ કરવા જણાવાયુ છે. એમઓ ચેક કરી ઇમરજન્સી જણાય તો તેને સારવાર માટે નજીકના સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની વ્યવસ્થા પણ કરશે.
વાપી શહેરમાં 45 વર્ષ કરતાં વધુ ઉમંરનાને વેક્સિન આપવામાં આવી રહી છે વાપી ટાઉન અર્બન હેલ્થ સેન્ટર,ગીતાનગર, સુલપડ,ડુંગરા,આસોપાલવ સોસાયટી,વાપી કોર્ટ, સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ, આરતી ઇન્ડ્રીઝ,શાહ પેપરમિલ, સરના કેમિકલ, ધોડિયાવાડ આંગણવાડી, ચલા પાલિકા ઝોન કચેરી, મેરિલ મળી આ તમામ સ્થળો પર ગઈ કાલે કુલ 3 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના સૂત્રો ના જણાવ્યા મુજબ લાભાર્થીએ રસીકરણ માટે ખાલી પેટે જવું નહિ,કંઇક ખાઇને રસીકરણ કેન્દ્ર પર જવાનું રહેશે લાભાર્થીએ આધારકાર્ડ,ચૂંટણીકાર્ડ આઇડીપ્રુફ રજૂ કરવાનું રહેશે તેમજ મોબાઇલ નંબર આપવો પડશે,ગ્રામ્યમાં મોબાઇલ ન હોય તો લાભાર્થીના વિસ્તારના આશાવર્કરના નંબરની નોંધ થશે આ પ્રક્રિયા બાદ લાભાર્થીના ટેમ્પરેચરની ચકાસણી કરાશે રસીકરણના રૂમમાં ખુરશી પર બેસાડી રસી મૂકવામાં આવશે અને રસી લીધા બાદ નજીકના ઓબ્ઝર્વેશન રૂમમાં લઇ જઇ 30 મિનિટ તેને બેસાડશે જ્યાં મેડિકલ ઓફિસર તેને સમજ આપશે ત્યારબાદ તેને ઘરે જવા રજા અપાશે અને બીજા ડોઝ માટે મોબાઇલ ઉપર આરોગ્ય વિભાગ દ્વારા મેસેજ મોકલાશે તેની જાણકારી અપાશે આમ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.