વલસાડ જિલ્લા માં પણ કોરોના ની સ્થિતિ વિકટ છે અને હવે ઓક્સિજન ખૂટી પડતા અહીં વધુ દર્દીઓ લેવાનું બંધ કરાતા મેડિકલ ઈમરજન્સી ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે વાપી તાલુકામાં આવેલી ખાનગી હોસ્પિટલો માં દર્દીઓ ની સંખ્યા વધવા સામેં ઓક્સિજનનો જથ્થો પર્યાપ્ત માત્રા માં ઓક્સિજન નહિ હોવાથી નવા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ના પાડવામાં આવી રહી છે. કોવિડ દર્દીઓની સારવાર માટે હાલ ઓક્સિજન સૌથી અગત્ય નું હોઇ કોવિડ સારવાર માં તકલીફો શરૂ થઈ છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ડિમાન્ડ ઉપર કાપ મુકવામાં આવ્યો હોવાનું સૂત્રો નું કહેવું છે હાલ વલસાડ માં
15 દિવસથી ઓક્સિજનનો જથ્થો ઓછો આવી રહ્યો છે. અહીં ની જનસેવા હોસ્પિટલમાં અગાઉ 80 થી વધુ કોરોનાના દર્દીને સારવાર મળી શકતી હતી પણ હવે ઓક્સિજન ના અભાવે 50 દર્દીને સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ 15 થી 12 ટન ઓક્સિજન સપ્લાય સામે હવે 7 થી 8 ટન આવતા આ સ્થિતિ સર્જાઇ છે.
જિલ્લા પ્રશાસન નું કહેવું છે કે હાલમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 10 ટન ઓક્સિજનનો જથ્થો આવી રહ્યો છે. જે ઘટાડ્યો નથી,પરંતુ ડિમાન્ડ સામે ઓછો પડી રહ્યો હોવાનું કહેવું છે.
જોકે,વલસાડ માં કોરોના ની વકરેલી સ્થિતિ વચ્ચે શ્રેયસ,એમ.એન.મહેતા કે જનસેવા જ નહીં પણ દરેક હોસ્પિટલમાં આ મુશ્કેલી હોઈ કોરોના ના દર્દીઓ ની સંખ્યા સામે તાત્કાલીક ઓક્સિજન ની માત્રા વધારવામાં નહિ આવે તો મેડિકલ ઇમરજન્સી ઉભી થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.