વલસાડ જીલ્લાના વલસાડ અને કપરાડાની ૩૨ જેટલી શાળાઓમાં બાળકોને શુદ્ધ પાણી મળી રહે ટે માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી ફિલ્ટર ટાંકીઓની યોજનામાં સબંધીતોએ ૯૦ ટકાનું ઉઘરાણું કરી લઇ લાખ્ખો રૂપિયાની ગોબાચારી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવતા સરકારી યોજનામાં કરુભગત ટોળકીઓ હજુ પણ સક્રિય હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
સરકારની સને ૨૦૧૪-૧૫ ની ૪૧ વિકાસશીલ તાલુકાની જોગવાઈ હેઠળ એક કરોડ રૂપિયાના ખર્ચે વલસાડ જીલ્લાના વલસાડ અને કપરાડાની ૩૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં જી.આર.પી. તેરાફીલ પાણીની ટાંકીઓ મૂકી બાળકોને ખનીજયુક્ત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી જીલ્લા આયોજન કચેરી દ્વારા આ ગ્રાન્ટ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ને ફાળવવામાં આવી હતી. અને તેઓ દ્વારા કરાયેલા ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા બાદ આ કામ બારડોલીની વીર એન્ટરપ્રાઈઝ કામ સોપવામાં આવ્યું હતું. પરંતુ આ યોજનામાં ૯૦ ટકાથી વધુ નાણા ચૂકવાઈ ગયા છે. પરંતુ ૩૨ પ્રાથમિક શાળાઓમાં આ યોજના અંતર્ગત બાળકોને એક ટીપું પણ શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી. અને પ્રારંભિક તબક્કેજ આ યોજના અવગતે જતી હોય અને એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ભ્રષ્ટ અધિકારીઓ અને વેપારીઓની મિલીભગતમાં તેના અસલ સ્વરૂપમાં આ યોજના સાકાર થઇ શકી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા ૪૧ વિકાસ શીલ તાલુકાની જોગવાઈ તળે વર્ષ ૨૦૧૪-૧૫માં બે કરોડ રૂપિયા જેટલી રકમ અનુસુચિત જન જાતિના કામો માટે વલસાડ જિલ્લાને ફાળવવામાં આવેલ. આ ગ્રાન્ટ માથી વલસાડ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા વલસાડ અને કપરાડા તાલુકાની ૩૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે ટે માટે જી.આર.પી. ટેરાફીલ પાણીની ટાંકીઓ અંગે તાંત્રિક મંજુરી મેળવી હતી. જેમાં એક યૂનીટની કોસ્ટ અંદાજીત ૩ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
સરકારની સને ૨૦૧૪-૧૫ ની ૪૧ વિકાસશીલ તાલુકાની જોગવાઈ હેઠળ એક કરોડ રૂપિયાના ખર્ચે વલસાડ જીલ્લાના વલસાડ અને કપરાડાની ૩૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં જી.આર.પી. તેરાફીલ પાણીની ટાંકીઓ મૂકી બાળકોને ખનીજયુક્ત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી જીલ્લા આયોજન કચેરી દ્વારા આ ગ્રાન્ટ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ને ફાળવવામાં આવી હતી. અને તેઓ દ્વારા કરાયેલા ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા બાદ આ કામ બારડોલીની વીર એન્ટરપ્રાઈઝ કામ સોપવામાં આવ્યું હતું. પરંતુ આ યોજનામાં ૯૦ ટકાથી વધુ નાણા ચૂકવાઈ ગયા છે. પરંતુ ૩૨ પ્રાથમિક શાળાઓમાં આ યોજના અંતર્ગત બાળકોને એક ટીપું પણ શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી. અને પ્રારંભિક તબક્કેજ આ યોજના અવગતે જતી હોય અને એક કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ભ્રષ્ટ અધિકારીઓ અને વેપારીઓની મિલીભગતમાં તેના અસલ સ્વરૂપમાં આ યોજના સાકાર થઇ શકી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા ૪૧ વિકાસ શીલ તાલુકાની જોગવાઈ તળે વર્ષ ૨૦૧૪-૧૫માં બે કરોડ રૂપિયા જેટલી રકમ અનુસુચિત જન જાતિના કામો માટે વલસાડ જિલ્લાને ફાળવવામાં આવેલ. આ ગ્રાન્ટ માથી વલસાડ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દ્વારા વલસાડ અને કપરાડા તાલુકાની ૩૨ જેટલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે ટે માટે જી.આર.પી. ટેરાફીલ પાણીની ટાંકીઓ અંગે તાંત્રિક મંજુરી મેળવી હતી. જેમાં એક યૂનીટની કોસ્ટ અંદાજીત ૩ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.