વલસાડ: શહેર ના તમામ ગણેશ મંડળો દ્વારા આજરોજ વલસાડ અધિકકલેક્ટર કમલેશ બૉર્ડર ને લેખિત આવેદન પત્રક સોંપી ડી.વાય.એસ.પી ઝાલા સાહેબ દ્વાર ગત ગણેશ ચતુર્થી મિટિંગ માં લેવાયેલ વોઇસ પોલીયુસન ને ધ્યાન માં રાખી ડી.જે પર પ્રતિબંધ અંગે ચર્ચા થતા તમામ સંચાલકો ચિંતા માં મુકાયા હતા જેના ભાગ રૂપે આજરોજ વલસાડ શહેર ના તમામ ગણેશ મંડળ ના સભ્યો સાથે તમામ ડી.જે સંચાલકો ભેગા મળી શહેર માં મૌન રેલી કાઢી અધિક કલેકટર ને લેખિત આવેદન પત્રક આપી ગણેશ ભક્તો ની લાગણી ન દુભાય અને કલેકટર દ્વારા આ પ્રથા બંધ થાય અને ડી.જે સંચાલકો ની રોજીરોટી ન છીનવાઈ અંગે રજુઆત કરી પોલીસ દ્વારા તમામ મંડળો ની લાગણી સ્વીકારી ચાલુ વર્ષે કોઈ પણ જાતનો પ્રતિબંધ લાગુ ન કરવામાં આવે અંગે રજુઆત કરવામાં આવી હતી.