વલસાડ નજીક આવેલ ડુંગરી માં અગાઉ એક કેસ પોઝીટીવ આવ્યા બાદ આ ગામ માં દવાખાનું ચલાવતા તબીબ નો પણ કોરોના પોઝીટિવ રીપોર્ટ આવતા ચકચાર મચી ગઇ છે વિગતો મુજબ ડુંગરી ગામમાં બજારમાં દવાખાનુ ચલાવવા ડો. ધનસુખભાઈ પટેલ, રહે મુ.પો. ફડવેલ, તા. ચીખલી, જિ. નવસારી નાઓનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવેલ છે. આ સંજોગોમાં પાછલા ૧૫ દિવસમાં તેમના સંપર્કમાં આવ્યા હોય અથવા એમની પાસેથી દવા લઈ ગયા હોય તેવા દરેક વ્યક્તિ વલસાડ આરોગ્ય ખાતાનો
ઉપર અથવા ડુંગરી ગામ ના સરપંચ નો
તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયુ છે. કારણ કે આ તબીબ કલીનીક ચલાવતા હોવાથી અનેક લોકોના સંપર્ક માં આવ્યા હોવાનું મનાય છે ત્યારે તેવા લોકો ને શોધી તેઓના ટેસ્ટ કરવાનું જરૂરી બન્યું છે અન્યથા અનેક લોકો ઝપેટમાં આવે તેવી શકયતા છે.
Thursday, May 2