રાજ્ય માં કોરોના સંક્રમણ ઝડપ થી સ્પ્રેડ થતા અનેક લોકો મોત ને ભેટી રહ્યા છે અને હવે કોરોના ગામડાઓ માં પણ ફેલાયો છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોરોના એ હાહાકાર મચાવ્યો છે, દરમ્યાન ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા કલેકટરે જિલ્લાના તમામ 467 ગામોના સરપંચોને સહયોગ આપવા અપીલ કરતા વલસાડ જિલ્લાના 467 ગામો પૈકી 409 ગામોમાં શાળાઓમાં કોવિડ કેર આઈસોલેશન સેંટર શરૂ કરવામાં આવ્યા છે પણ મોટાભાગના વિસ્તારોમાં માત્ર નામ પૂરતા જ સેન્ટરો જોવા મળી રહ્યા છે અને પૂરતી સુવિધાઓ નો અભાવ હોવાનું જણાય રહ્યું છે.
વલસાડના સાંસદ કે.સી.પટેલે દત્તક લીધેલા ગોઈંજ ગામની શાળામાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ખાટલા નહી મળતા કેટરિંગના ટેબલ પર જ ગાદલાં પાથરી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હોવાનું બહાર આવ્યું છે.
આમ બેડ નહિ મળતા માત્ર ગાદલા અને ઓશિકા નાખી દેવાયા છે તો ક્યાંક ટેબલો ઉપર જ ગાદલા નાખી દેવામાં આવતા અહીં કોઈ દર્દી ટેબલ ઉપર સૂતેલો દેખાયો ન હતો અન્ય ગામો માં પણ માત્ર ઔપચારીકતા જણાઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.
Sunday, May 19